SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર કી અસારતા કા વર્ણન અન્વયા—સત્તુળાં-લપુછ્યાોમ્ પુણ્યશાળી યુસીમળો-વચવતામ્ તથા ઇન્દ્રિયેાને વશમાં કરવાવાળા સંગયાનું-સચતાનામ્ એવા સર્ચમ આરાધક તેલિતેષામ્ એ જીવાની. આ સર્વોત્કૃષ્ટ સ્થાનની પ્રાપ્તિ સોજ્જાના સાંભળી સીજલ તા-શીન તઃ ચારિત્રધારી અને વધુસુવા-વત્રુતાઃ શાસ્રપારગામી જીવ મળ તે-માન્ડે મરણકાળ ઉપસ્થિત થવાના સમયે ન સતતિ-ન સત્રન્તિ ઉદ્વેગને પ્રાપ્ત કરતા નથી--જેમણે ધર્મનું ઉપાર્જન કરેલ નથી તે જ જીવ મરણના ભય કરે છે. તે અંતે વિચારે છે ‘હું મરીને હવે કેણુ જાણે કયાં જઈશ ?” પરંતુ જેમણે પેાતાના જીવનમાં ધર્મરૂપી ભાતુ આંધી રાખ્યું છે તે ધર્મના ફળને જાણતા હાવાથી કદી પણ મૃત્યુથી ડરતા નથી, મરણ કાળમાં ભયનેા ડર ન રાખનારા સંયતજન એવા વિચાર કરે છે કે મેં ભવેાભવમાં શરીર પ્રાપ્ત કર્યું, લવાભવમાં સારી સંગત પ્રાપ્ત કરી, ભવેાભવમાં રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરી, ભવેાભવમાં માતા, પિતા, પત્નિ, પુત્ર પૌત્રાદિક કુટુંબ પરિવાર પ્રાપ્ત કર્યો, ભવાભવમાં નરકાદિરૂપ ક્રુતિ પ્રાપ્ત કરી, ભવેાભવમાં તિયચ ગતિ પ્રાપ્ત કરી, ભવેાભવમાં મને સાધર્મ જાતે સમાગમ મળ્યા, ભવેાભવમાં સુપાત્રાને મેં દાન દીધું, ભવેાભવમાં પ્રભુનાં સમવરણની શેાભા પણ જોઈ. આ રીતે મે' અનેક ભવમાં આ સઘળે અનુભવ કર્યાં. પરંતુ હજી સુધી મને સમ્યકત્વયુકત સમાધી મરણના સંચાગ પ્રાપ્ત થયા નથી—તે આ ભવમાં પ્રાપ્ત થઇ રહેલ છે એ મારા પરમ સૌભાગ્યની વાત છે. મે' આ શરીરને અનેક પ્રકારનાં વસ્ત્રોથી સુશૈાભિત કર્યું, સુગંધિત દ્રવ્યેાથી તેને સુવાસિત બનાવ્યું, દરેક પ્રકારના મિષ્ટ અને તાકાત આપનારા ભાજનાથી મે તે રૂષ્ટપુષ્ટ બનાવ્યું, નાકરની માફક રાત દિવસ એની સેવામાં લગી રહ્યો, રત્નાથી ભરેલા પટારાની માફ્ક એની સ'ભાળ રાખી, પરંતુ આ અવસર ઘણા સદ્ભાગ્યથી હાથ આવેલ છે જેથી પડિંત મરણમાં એની સહાયતા લેવામાં આવે, આથી હું મારા શરીર ! આ અવસરમાં પ ંડિત મરણુરૂપ નિધિને પ્રાપ્ત કરવામાં જો તું મને સહાયતા નહીં કરે તેા તારા જેવું કૃતઘ્ની બીજી કાણુ હશે ? રસ, લેાહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, અને શુક્ર આ સાત ધાતુથી તું સદા ભરેલું રહે છે, તેને જોતાં ધૃણા થાય છે—ચામડાથી ઢંકાવાને કારણે તું બહારથી મનહર દેખાય છે પરંતુ તારી અંદર તે અશુચિ અને અપવિત્ર પદાર્થો ભરેલા પડયા છે. આથી તે તુ સ્વયં અશુચિસ્વરૂપ છે. આ પ્રકારની તારી પરિસ્થિતિ છે. તેમજ દુર્ગંધથી પરિપૂર્ણ તથા ક્ષણવિનશ્વર એવા તારા સ્વભાવને જાણીને એવા કયા બુદ્ધિમાન હશે કે જે તારા ઉપર પ્રેમ રાખે ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ७०
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy