SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નીકળી કઈ એક સ્થાન ઉપર ઝાડની નીચે બેસી ગયે. અને વિચાર કરવા લાગ્યું કે, ચિંતાનું કોઈ કારણ નથી, ભલે મારે પ્રાણાન્તરંડ ભેગવ પડે, ગળામાં ખુશીથી ફાંસીનું દેરડું પડે, લક્ષ્મી આવે અથવા ચાલી જાય, વીરેને પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં જે કાંઈ સહન કરવું પડે તે બધું સહન કરવા હું તૈયાર છું. તેની લેશ માત્ર મને ચિન્તા નથી, પરંતુ ચેરને પત્તો લગાડયા વગર હું જંપીને બેસવાનું નથી. આ પ્રકારને વિચાર એ કરી રહ્યો હતો, એટલામાં એક ગી તેની પાસે આવ્યો. ગી પિતાની બનાવટી વેશભૂષામાં હતું. ભગવાં વસ્ત્ર પહેરેલાં હતાં, માથું મુંડેલું હતું, હાથમાં ત્રિદંડ ધારણ કરેલો હતે, યોગીને જોતાં જ રાજકુમારના દિલમાં આનંદની રેખા ઉત્પન્ન થઈ. તેને ખાત્રી થઈ કે હવે ચાર મળી ગયો. બરાબર આજ ચેર છે. ચેરનાં જે લક્ષણ હોય છે તે સર્વ આનામાં દેખાય છે. આ પ્રકારની વિચાર નિદ્રામાં પડેલા રાજકુમારને જગાડતાં યેગીએ કહ્યું કે-હે મહાનુભવ ! ક્યાંથી આવે છે ? કયા કારણે ચિન્તાગ્રસ્ત દેખાવ છો ? ચગીની વાત સાંભળી અગડદત્ત રાજકુમારે કહ્યું-મહારાજ ! વારાણસી નગરીથી આવું છું. અતિ દરિદ્ર છું, આપત્તિથી ઘેરાઈને અહિં તહીં ભટકી રહ્યો છું. એ સાંભળીને ગીએ કહ્યું-વત્સ ! એમાં ચિન્તા કરવાની શી જરૂર છે? ગભરાવ નહીં. હું તમારા દારિદ્રયને મીટાવી દઈશ, અને તમે જે ચાહશે તે હું તમને આપીશ. આ પ્રકારે પરસ્પર વાત કરતાં કરતાં આ દિવસ બને જણાએ તે ઝાડની નીચે ગાળે. રાત્રી પડતાં તે ગીના વેશમાં રહેલા ચેરે અગડદત્તને સાથે લઈને તે નગરના શેઠના ઘરની ભીંત કોચી. અગડદત્તને બહાર ઉભે રાખી કહ્યું-હું અંદર જાઉં છું ને તું અહીં કાજે. કયાંય જતે નહીં ચેારીનો માલ ઘરમાંથી કાઢીને હું બાકોરામાંથી તને આપું તે એક તરફ રાખતે જજે. અગડદત્તે એ પ્રમાણે કરવાનું કબુલ્યું એટલે તે ગી મકાનની અંદર ઘુસ્ય. ઘરમાંથી તેણે ધનથી ભરેલી પેટીઓ ઉડાવા અને બાકોરામાંથી બહાર કાઢવા માંડી. અગડદત્ત તેની રખેવાળી કરતે રહ્યો. ચેરી કરવાનું કામ પતાવીને તે જેની બહાર આવી છેડે દૂર જઈને કેટલાક દરિદ્રી માણસને લઈ આવ્યું. શેઠના ઘરમાંથી રેલી પેટીઓ તેમના માથા ઉપર મુકાવી અગડદત્તને સાથે લઈ તે ત્યાંથી જંગલમાંના પિતાના સ્થાન તરફ પલાયન થયે. ત્યાં પહોંચીને તેણે અગડદત્તને કહ્યું–આપણે શેડો વખત અહીં વિશ્રાંતિ કરીએ. આ પ્રમાણે કહીને તે સુઈ ગયે. એના સુતા પછી તે સઘળા માણસો પણ સુઈ ગયા. ગી ખરેખર ઊંઘતે ન હતું પણ ટૅગ કરતો હતે. અગડદત્ત ચતુર હતું. તેણે વિચાર કર્યો કે -અજ્ઞાતકુળશીલ વાળાને વિશ્વાસ કરે ન જોઈએ કેમ કે, “વા મુદ્દત્તા વરું રીઝ સમય વિકટ છે, શરીર અબળ છે ” માટે મનુષ્ય હર સમય સાવધાન રહેવું જરૂરી છે. એવું સમજીને તેણે એક ઝાડની ફેલાયેલી ડાળ ઉપર પિતાનું વસ્ત્ર એવી રીતે ઓઢાડી દીધું કે, જેનાથી જેગી જાગે ત્યારે તેને એવો ખ્યાલ આવે કે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૨૬
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy