________________
સંમતિ લઈને દીર્ધરાજાના ગુપ્તચરે અહિં આપણી શોધખોળ કરી રહેલ છે. વળી એવું પણ જાણવા મળ્યું છે કે, રાજાએ આપણને પકડવાની તૈયારી પણ કરી આપી છે. આથી અહીં રોકાવું તે આપણા માટે હિતાવહ નથી. આ સમાચાર જ્યારે સાગરદત્તને મળ્યા ત્યારે તેણે એ બંનેને ભૂમિગૃહની અંદર છુપાવી દીધા. રાત્રીના સમયે કુમારે સાગરદત્તને કહ્યું, શેઠજી અમો બન્નેને કેઈ બીજા સ્થળે પહોંચાડી દે તે ઘણું સારું છે. સાગરદન્ત કુમારની વાત માનીને એ બન્નેને સુખરૂપ નગરની બહાર પહોંચાડીને તે પિતાને ઘેર પાછો ફર્યો. કુમાર અને વધતુ બન્નેએ નગર બહાર નીકળીને ચાલવા માંડયું તેઓ થોડે દૂર ચાલ્યા કે એમની દષ્ટિએ એક યક્ષાલય દેખાયું એની પાસે એક વૃક્ષ હતું. એ યક્ષાલયના આગળના ભાગમાં એક કન્યા બેઠેલી તેમની દષ્ટિએ પડી. ત્યાં એક રથ પણ હતું જે અનેક અસ્ત્રશસ્ત્રોથી સુસજીત હતે. કુમારીએ આ બંનેને જોયા એટલે ઉઠીને ઉભી થઈ ગઈ અને ખૂબ જ આદરથી તેમને કહેવા લાગી કે, આપ લોકોને અહીં સુધી આવવામાં ખૂબ સમય લાગે. હું તે કયારનીએ આપની રાહ જોઇને બેઠી છું. કુમારીનાં આવાં વચન સાંભળીને કુમારના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે સહસા બેલી ઉ. જાણે છે કે, અમે કોણ છીએ ? કન્યાએ કહ્યું કે, હા ! જાણું છું. એક આપ બ્રહ્મદત્તકુમાર છે અને બીજા આ આપના સાથીદાર વરધનુકુમાર છે, કુમારે ફરી કહ્યું, ભદ્રે તમને અમારો પરિચય કઈ રીતે મળી શકયો? કુમારીએ કહ્યું, સાંભળે ! આ ગામમાં ધનપ્રવર નામે એક શેઠ રહે છે. એની પત્નીનું નામ ધનસંચયા છે, તેની હું પુત્રી છું, મારું નામ રત્નાવતી છે, મારે આઠ ભાઈ છે. માતાપિતાને સુખ આપનાર એવી હું બાલ્યાવસ્થા વટાવીને યૌવન અવસ્થામાં પહોંચી ત્યારે તેમને મારા વિવાહની ચિન્તા થવાથી વરની શોધ કરવા લાગ્યા. પરંતુ મારા ગ્ય વર તેમને ન મળ્યો. આથી મેં નિશ્ચય કર્યો કે, પ્રયત્ન કરવા છતાં પણ જે મારા લાયક વર મળતું નથી તે હું આજીવન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨ ૭૪