SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ મન્યા. જે એ બન્નેને પેાતાને ઘેર લઈ ગયા અને ખૂબ જ આદર ભાવથી સત્કાર કરી લેાજન કરાવ્યું. ભેાજન કર્યા બાદ ત્યાં એક મહિલાએ રાજકુમારના મસ્તકે ચાંદલા કર્યો અને પેાતાની બન્ધુમતિ નામની કન્યા તેને સુપ્રત કર્યાનું જાહેર કર્યું. આ પરિસ્થિતિને જોઇ વરધનુએ કહ્યું કે, સુભગે ! આ મૂખને તમે પેાતાની કન્યા શા માટે આપા છે ? મત્રીપુત્રની વાત સાંભળીને વચમાં જ બ્રાહ્મણે જવાબ આપ્યા કે, મહુાભાગ ! આ મારી પુત્રી છે. કોઈ નિમિત્તિઆએ એવી આગાહી કરી હતી કે “તારી પુત્રી આ ચક્રવતીની પત્ની થશે.” એ વિચારથી મે આમ કર્યું છે. એ જ દિવસે રાજકુમાર સાથે તેના વિવાહ કરી દેવામાં આળ્યે, એ રાત રાજકુમાર ત્યાં પેાતાના સાસરાને ત્યાં રહ્યો. બીજે દિવસે વરધનુએ રાજકુમારને ચાલવાનું કહ્યું, અને એમ જણાવ્યું કે, દી રાજાના ગુપ્તચર અહીં આપણી પાછળ પાછળ આવી લાગ્યા છે, વરધનુની વાત સાંળળીને રાજકુમારે પેાતાની પત્ની ધુમતીને સખીના જણાવી દીધી અને પછી ત્યાંથી વરધનુની સાથે ચાલી નીકળ્યેા. દર મજલ કરતાં કરતાં તેઓ એક ગામમાં પહાંચ્યા તૃષાતુર બનેલા રાજકુમાર માટે પાણી લેવા વરધનુ ગામમાં ગયા અને રાજકુમાર ગામ બહાર બેઠા. વરધનુ તરત જ પાછે ર્યાં અને કુમારને કહ્યું કે, કુમાર ! દીર્ઘરાજાએ રાજ્યનિ સેના દ્વારા આપણા માર્ગ રોકી લીધે છે આથી આપણે અહીંથી આડા માગે જલદીથી નીકળી જઈ એ. આમ કરતાં બંને જણા આડે માર્ગે ચાલતાં ચાલતાં એક ઘાડા જંગલમાં જઈ ચડવા. ત્યાં એક વડલાની નીચે રાજકુમારને બેસાડીને વરધનુ પાણીની તપાસમાં નીકળ્યા, આ રીતે પાણીની તપાસમાં ક્રૂરતા વરધનુને દીઘ - રાજાના સૈનિકાએ જોઈ લીધા અને તેને પકડીને બાંધી લીધા. ખૂબ મારકૂટ કરી, બ્રહ્મદત્તકુમાર કયાં છે તે પૂછ્યું અને જો નહીં ખતાવે તે તને મારી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપી અને જે રસ્તેથી તે આન્યા હતા તે રસ્તે ઘસડતા લઈ ચાલ્યા. કુમાર જ્યાં બેઠા હતા તે સ્થાન નજીક આવતાં તેણે સ' કેતથી કુમારને ભાગી છુટવાનો સ`કેત કર્યાં. આ સ ંકેત સૈનિકાની જાણમાં આવ્યો નહીં. સંકેત મળતાં કુમાર ત્યાંથી ભાગવા માંડયા અને મહા ભયંકર જંગલમાં જઈ ચડયા. ભૂખ અને તરસથી પીડાતાં ત્રણ દિવસ સુધી કુમાર જંગલમાં અથડાયા પરંતુ કયાંય ખાવાપીવાનું ન મળ્યું. ત્રીજા દિવસે કુમારે એક તપસ્વીને જોયા, તપસ્વીને જોઇને તેના જીવમાં ધરપત વળી અને પેાતાના જીવનની આશા બંધાઈ. તપસ્વીની પાસે જઈને કુમારે તેને પૂછ્યું ભગવત્ આપનો આશ્રમ કયાં છે ? તપસ્વીએ કહ્યું કે, ‘“ અમારા આશ્રમ અહિં નજીકમાં જ છે.'' આમ કહી તે કુમારને લઇ પેાતાના કુલપતિ પાસે આવ્યા, કુલપતિને જોઈ કુમારે નમસ્કાર કર્યા. કુલપતિએ આવેલા કુમારને જોઈને તેને પૂછ્યું તમે કયાંથી આવેા છે ? કુલપતિના પૂછવાથી પ્રત્યુત્તરમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૨૬ ૨
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy