SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે. બાળકની માતા એની સેવા કરવા લાગી, નમુચિ એ બાળકેની માતા ઉપર આસક્ત બની ગયો. જ્યારે આ વાત ભૂતદત્ત ચાંડાલના કાન સુધી પહોંચી ત્યારે તેણે નમુચિને મારવાને વિચાર કરી ઉપાય શોધવા લાગ્યા. બાળકેએ જ્યારે પિતાના પિતાના એ વિચારને જાણ્યું ત્યારે તેમણે કૃતજ્ઞતાને ઉપકાર વશ બનીને નમુચિને કોઈ ઉપાયથી બચાવી લેવા નક્કી કર્યું. અને તેમ કરવામાં તેમને સફળતા પણ મળી તેમણે મંત્રીને પિતાના ઘરમાંથી કઈ ગુપ્ત રસ્તે બહાર ભગાડી દીધું. આ રીતે ત્યાંથી ગુપ્ત રીતે ભાગી નીકળેલ મંત્રી ધીરે ધીરે ચાલતા ચાલતા હસ્તિનાપુર સનકુમાર ચક્રવતીની પાસે પહોંચ્યા. ચક્રવતીએ તેને પોતાના રાજ્યમાં મંત્રી પદે સ્થાપ્યા. એક સમયની વાત છે કે, ચાંડાલના એ બને પુત્ર ચિત્ર અને સંભૂત. રૂપ, યૌવન, લાવણ્ય અને નૃત્યકળા વિગેરેથી વારાણસીના નગરજનેના મનને રંજન કરતા હતા. એક વેળા ત્યાં વસંતેત્સવ હતું. આ બને કલાકાર બંધુઓએ પોતાની શ્રેષ્ઠ કળાઓથી લેકેના મનને ખૂબ આનંદિત બનાવ્યાં. જ્યાં જ્યાં તેઓ પોતાની કળાનું પ્રદર્શન કરતા, ત્યાં ત્યાં જનમેદની એકત્ર થઈ જતી અને એમને ઘેરી લેતી તે વખતે જનતા એ પણ ભૂલી જતી કે આ અને કલાકારે અસ્પૃશ્ય જાતિના બાળકો છે. આ બંનેએ પિતાની કળા અને સંગીતથી નગરવાસીઓને ગાંડાતૂર બનાવ્યા હતા. સારીએ આમજનતા એ અને ઉપર ખૂબજ મમત્વ ધરાવતી હતી. એ ઉત્સવમાં સંગીતકારોની બીજી મંડળીઓ પણ ભાગ લેવા આવેલ હતી તે સઘળા આ બંને ભાઈઓ પ્રત્યેની આ પ્રકારની લેડ્યાહના તેમજ અભ્યદય જોઈને તેમની સામે ઈર્ષ્યા કરવા લાગ્યા. છેવટે રાજાની પાસે જઈને કહેવા લાગ્યા કે હે રાજન્ ! ભૂતદત્ત ચાંડાળના પુત્ર ચિત્ર અને સંભૂત એ બન્નેએ નગરીની અંદર પ્રવેશ કરીને પિતાની પ્રશસ્ત કળાથી સમસ્ત નગરની આમ જનતાને બહેકાવી દીધી છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૨૫૦
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy