SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ - ખાય છે અને પેાતાના વ્યવહારથી જ રક્ષણ પામે છે. હું પણું મારા હારને કારણે જ બધાની અપ્રીતિનુ કારણ અનેલ છે. આ પ્રકારના વિચાર કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણના પ્રભાવથી તેણે પેાતાના પૂર્વ વૃત્તાંત જાણ્યા આથી તેને સંસાર પ્રત્યે વિરક્તભાવ જાગ્યા જેથી તેણે મુનિ સમીપ જઈને દીક્ષા ધારણ કરી. દોક્ષા ધારણ કર્યો પછી તેણે ખૂબ તપશ્ચર્યાં કરી મદ્યનુ શમન કરનાર ઠ્ઠમ અઠ્ઠમ દ્વાદશ આદિ તીવ્ર તપે કરવા માંડયાં. એક સમયની વાત છે કે, ગ્રામાનુશ્રામ વિહાર કરતા કરતા તે વાારસી નગરીમાં પહોંચ્યા. ત્યાં તિન્દ્વક વૃક્ષેાનું વન હતું એ વનમાં મંડિકયક્ષનું એક સ્થાન હતુ. ત્યાં જઈ તે કાયા અને માસ ખમણુ તપસ્યા કરવા લાગ્યા. એમના ગુણૈાથી આકર્ષાઇને યક્ષે તેમની ખૂબ પરિચર્યા કરી. એક સમયે ભદ્રા નામની એક રાજકુમારી પૂજનની સામગ્રી લઈ પેાતાની સખીઓ સાથે એ યક્ષનુ પૂજન કરવા આવી. પૂજા કરીને તેણે પ્રદક્ષિણા કરવાના પ્રારંભ કર્યાં તે સમયે મેલાં વસ્ત્ર તેમજ ગળેલા ગાત્રવાળા તે મુનિ તરફ તેનું ધ્યાન ગયુ અને જોતાંની સાથે જ ઘણાભાવ જાગતાં એ મુનિ ઉપર થુકી યક્ષે રાજપુત્રીના એ અસત્ વ્યવહારને જોયા. અને એજ વખતે ક્રોધયુક્ત બનીને તેણે રાજપુત્રીને પકડી લીધી, અર્થાત્ રાજપુત્રી યક્ષાવિષ્ટ મની ગઈ અસખદ્ધ પ્રલાપ કરવા લાગી. સખીઓએ તેની આ પ્રકારની હાલત જોઈને તાત્કાલીક ઘેર પહોંચતી કરી, ઘેર પહેાંચતાં તેના અનેક રીતે ઉપચાર થવા લાગ્યા, યક્ષને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય હાથ ધરવામાં આવ્યા. અંતે પ્રસન્ન બનેલા યક્ષે એ રાજપુત્રીના મુખથી કહ્યું કે, મહાશયે ! જો આપ લેાકેાને આ કન્યાના જીવનથી કાઈ પ્રત્યેાજનહાય તા આપ આ કન્યાના વિવાહ એ મુનિરાજ સાથે કરી દો. આ પ્રકારનાં યક્ષનાં વચન સાંભળીને સહુએ વિચાર કર્યો કે, મુનિરાજની સાથે પાણીગ્રહણ કરાવવાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૨૨૧
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy