________________
જયસેન રાજાની વનમાળા નામની મહારાણીથી પદ્મરથ નામના પુત્ર થયા. પદ્મરથ જ્યારે યુવાન થયા ત્યારે રાજાએ તેને રાજકારભાર સેાંપીને દીક્ષા ધારણ કરી લીધી. પદ્મરથે પણ નીતિ અનુસાર રાજ્યનું પાલન કર્યું. બીજા ધ્રુવ પણ ત્યાંથી ચવીને હે મેરયે ! તમારા પુત્ર થયેલ છે. તેને વૃક્ષની ડાળે ખાઈમાં સુવાડીને જ્યારે તું તળાવ ઉપર વસ્ત્ર ધાવા માટે ગઇ હતી એટલામાં અશ્વારૂઢ બનીને તે જંગલમાં આવી ચડેલા પદ્મરથ રાજાએ તે પુત્રને ઉઠાવી મિથિલામાં લઈ જઈ પાતાની રાણીને સાંપી દીધે અને ઘણા જ આન ંદ સાથે પુત્રાન્સવ મનાવ્યેા, હે ભદ્રે ! તમારા પુત્ર ઘણા જ પૂણ્યશાળી છે. તે ત્યાં આનંદથી રહે છે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. આ પ્રકારે જ્યારે મણિચૂડ મુનિરાજે કહ્યું. તે પછીમણિપ્રભુ વિદ્યાધર આ સઘળી વાતને સાંભળીને ત્યાંથી મુનિને નમસ્કાર કરી પેાતાના સ્થાને ચાહ્યેા ગયે.
વ્રતા સાધ્વી કે ઉપદેશ કા વર્ણન
આ પછી તે યુગમાહુ દેવે મદનરેખાને કહ્યું-હે સતિ! કહે હું તમારૂ શું ભલું કરૂ? મદનરેખાએ કહ્યું-મને હવે ફક્ત મેાક્ષ સુખની જ ાિ છે, બીજી કેાઈ પણ ઇચ્છા નથી. એ મેાક્ષસુખ કાઇની કૃપાથી પ્રાપ્ત થતું નથી, પરંતુ પેાતાની સાધનાથી તેની પ્રાપ્તિ માનવામાં આવે છે. જો આપની કાંઇ ભલુ કરવાની અભિલાષા છે તે, આપ મને કૃપા કરી મિથિલાપુરીમાં પહોંચાડી દો. ત્યાં હું મારા પુત્રનું મુખ જોઇને તુરતજ પરલેાક હિતકારી એવા ધર્મનું આરાધન કરવા ચાહુ છું. મદનરેખાની વાત સાંભળીને દેવ તરતજ તે સતીને મિથિલા નગરીમાં લઇ ગયા. મદનરેખા અને તે દેવ ત્યાં સાધ્વીચેના ઉપાશ્રયમાં ગયા. વના નમસ્કાર કરી સાધ્વીઓની સામે તે બેસી ગયા. દઢવત્તા સાધ્વીએ મદનરેખાને પ્રતિમાધિત કરવા માટે ઉપદેશ આપતાં કહ્યું કે—સંસારમાં આ જીવને માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, પુત્ર પુત્રી, આદિના સબંધ અનંતવાર થઈ ચુકેલ છે. પર ંતુ આ ંજીવની રક્ષા કરવાવાળુ કાઈ પણ થયેલ નથી. આ સઘળા સ્વજને ધન, સપત્તિ, અને શરીરાદિક બાહ્ય પદાર્થો ક્ષણુ વિનશ્વર છે. જો શાશ્વત કાઈ હાય તા તે માત્ર ધર્મ એકજ છે. કહ્યું છે કે—
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૪૩