SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણી પર પણ ચડાવી દઉં છું. જ્યારે સાધુજનનો નિગ્રહ કરવાનો મને અભ્યાસ ધિરે ધિરે પ્રકર્શ અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે આ અભ્યાસની પ્રકર્ષતાની કપાથી તેને જ્ઞાન વિશેની પ્રાપ્તિ થઈ જાય છે, તેનાથી તે શાસ્ત્ર પ્રતિપાદિત ઉપાયોનું નિરિક્ષણ કર્યા કરે છે. એ જ્ઞાન વિશેનું કથન એવું તે નથી જે આપની સામે વચનથી કહી શકાય, તે વાત તે તેજ જાણી શકે છે જે આ અવસ્થાને પહોંચેલ છે. જેની આત્મા આ નિગ્રહના અભ્યાસના પ્રકથી વિહિન છે. આવા જીવ એ સ્વાદને કયાંથી જાણે. આ જ્ઞાન વિશેષ સિદ્ધિ પદરૂપી સંપત્તિના જનક હોય છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ પદાર્થોના પણ એ જાણકાર હોય છે. એમનાથી છને કઈ કઈ પદાર્થને સ્પષ્ટ પ્રતિભાસ થવા લાગે છે. મને નિગ્રહ કરવાને અભ્યાસ જ્યારે ચેડા અંશે અત્યંત પ્રકાશ અવસ્થા સુધિ પહોંચી જાય છે ત્યારે એ સમયે આત્મામાં પ્રતિભ નામનું એક જ્ઞાનવિશેષ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન કેવલ જ્ઞાનથી પહેલાં થાય છે. તેમાં મત્યાદિક પરાક્ષ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. જેમ સૂર્યનો ઉદય થયા પહેલાં તેને આવવાને પ્રકાશ પ્રસાર પામે છે, ભાસ પ્રસ્તુત બને છે તે પ્રકારે સમસ્ત રૂપાદિક પદાર્થોને વિષય કરવાવાળા આ પ્રતિભ જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ સૂર્યના ઉદય થતાં પહેલાં તેની પ્રભારૂપે પ્રગટ થાય છે. જેથી એ વાત નિશ્ચય બને છે કે હવે આ આત્મામાં કેવલજ્ઞાનને ઉદય થવાને છે. જ્યારે મનોનિગ્રહને અભ્યાસ સર્વોત્કૃષ્ટ અવસ્થા સંપન્ન બની જાય છે, ત્યારે તે સમય આત્મામાં કેવલજ્ઞાનની ઉદૂભૂતિ થઈ જાય છે. આથી સમસ્ત પદાર્થોને સ્પષ્ટ પ્રતિભાસ થવા લાગી જાય છે. કેઈ પણ રૂપી અથવા અરૂપી પદાર્થ એ નથી બચતે જે કેવલજ્ઞાનને વિષય ન બનતે હોય, આ જ્ઞાન અનુપમ છે એવું બીજું કઈ જ્ઞાન નથી કે જેનાથી આને ઉપમિત કરી શકે. તેના દ્વારા પ્રકાશિત પદાર્થોમાં કઈ પણ પ્રકારની બાધા આવતી નથી. આ પ્રકારે મહાત્માને કહીને તે મન નામને પુરૂષ અંતર્ધાન થઈ ગયે. - આત્મા શબ્દને અર્થ બાહ્ય ઇન્દ્રિય પણ છે, જે સ્પર્શન, રસના, ઘાણ. ચક્ષુ, અને કાનના ભેદથી પાંચ પ્રકારની છે. મેક્ષાભિલાષી આત્મા એનું દમન ન કરે છે તે મુક્તિ માર્ગમાં પ્રવર્તી બની શકતા નથી. તેમજ સાધક પણ બની શકતો નથી. ઈનિદ્રાનું જે દમન ન કરવામાં આવે તો શાસ્ત્રકારોએ ત્યાં સુધી કહેલું છે કે, આત્માને પણ વિનાશ થઈ જાય કહ્યું પણ છે-જુઓ-જ્યારે કમથી એક એક ઇન્દ્રિયના વિષયમાં લાલુપ હેવાથી કુરંગ–હરણ, માતંગહાથી, પતંગ, ભ્રમર, તેમજ માછલી, આ પ્રાણ પિતાના પ્રાણથી રહિત બને છે. તે પછી માણસ જ્યારે પાંચેય ઇન્દ્રિયોના વિષયમાં લોલુપ બની રહે તે તેને નાશ ન થાય? ખરેખર નાશ થવાને-દુર્ગતિને પ્રાપ્ત કરશે. એથી જે રીતે જોડેસ્વાર ઇઅિછત માર્ગ ઉપર ચલાવવા માટે ઘોડાને લગામ દ્વારા પિતાના આધિન બનાવી લે છે. એ જ પ્રકારે આત્મહિતૈષીનું કર્તવ્ય છે કે, તે પણ આ ઈન્દ્રિયરૂપી ઘેાડાઓને કે જે પિત પિતાના વિષયોની તરફ અર્થાત અસંયમ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૩૯
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy