SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ k આ પ્રકારનાં ભગવાનનાં વચન સાંભળીને પણ દુરાગ્રહને વશ બનેલ જમાલિએ “ પેાતાના ક્કોજ ખરા ' એવા વૃથા હઠાગ્રહ ચાલુ રાખ્યું અને ભગવાનના વચનમાં શ્રદ્ધા ન કરી. ત્યાંથી વિહાર કરીને જમાલિ સ્વચ્છ ંદ રૂપથી દેશ દેશમાં વિહાર કરવા લાગ્યા. પાતે જ્યાં જ્યાં વિહાર કર્યાં ત્યાં ત્યાં અનેક કુતર્કથી લેાકાને ઉપદેશ આપવા માંડચેા. આ રીતે ઘણા વર્ષો સુધી જમાલિએ શ્રમણુ અવસ્થાનું પાલન કર્યું. તે પંદર દિવસની સંલેખના ધારણ કરી તેમણે દેહ છેાડયા. મરતી વખતે પશુ તેમણે અતિચારોની લેાચના ન કરી. આથી મરીને તે છઠ્ઠા દેવલાકમાં કિવિષક જાતિના દેવ થયા. એક સમયે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, ભગવન્ ! જમાલ ઉગ્ર તપસ્વી હતા, તેઓ મરીને કઈ ગતિમાં ગયા છે? ભગવાને કહ્યું કે, તે છઠ્ઠા દેવલાકમાં કિષિક જાતિના દેવ થયેલ છે, પ્રભુની વાત સાંભળી ફરી ગૌતમ સ્વામીએ પૂછ્યુ, ભગવંત ! તે તેા ઉગ્ર તપસ્વી હતા, એની આવી નાની ગતિ કેમ થઈ ? પ્રભુએ કહ્યું, તે નિદ્ભવ-જીન વચનેાના અપલાપક થવાથી પોતાના ધર્માચાર્યના પણ તેણે વિરોધ કરેલા આથી દીર્ઘ તપસ્વી હાવા છતાં પણ તેણે એ ગતિ પ્રાપ્ત કરી છે. ગૌતમસ્વામીએ ફરી પૂછ્યું કે, ભગવંત! તે ત્યાંથી ચ્યવીને હવે કયાં જશે ? ભગવાને કહ્યું, તે ત્યાંથી ચ્યવીને તિર્યંચ્યું, મનુષ્ય નરકદેવરૂપ ચતુર્ગતિક સ'સારમાં ભ્રમણુ કરી ઘણુા કાળ પછી સિદ્ધિને પ્રાપ્ત કરશે. જમાલિની જેમ ઘણા મુનિઓની શ્રદ્ધા ઓછી થાય છે આથી તે દુલ ભ છે એવું સમજવુ જોઈ એ. આ રીતે એ પ્રથમ જમાલિક નિહ્નવદૃષ્ટાન્ત પૂરુ' થયું ।। દ્વિતીય નિહ્નવ તિષ્યગુસ મુનિ કા દ્રષ્ટાંત હવે ખીજા નિદ્ભવ તિષ્યગુસની કથા કહેવામાં આવે છેતે આ પ્રકારની છે.-ભગવાન મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાને જ્યારે સેાળ વર્ષ વીત્યાં ત્યારે રાજગૃહ નગરમાં ગુણુશિલ નામના ઉદ્યાનમાં ચૌઢપૂર્વના ધારક એવા વસુ નામના આચાર્ય આવ્યા. એમને તિષ્ણુગુપ્ત નામના શિષ્ય હતા તે પૂર્વાંના અધ્યયન કરવામાં તત્પર હતા ! એક સમય જ્યારે તે સાતમુ આત્મપ્રવાદ પૂર્વ ભણી રહ્યા હતા એ વખતે એને સાતમા પૂર્વનું સૂત્રાલાપક વાંચવામાં આવ્યું તે આ છે— “एगे भंते जीवपएसे जीवेत्ति वत्तत्रं सिया ? णो इणडे समझे ! एवं दो तिण्णि० जाव दस संखेज्जा असंखेज्जा भंते ! जीवपएसा जीवेत्ति वत्तव्यं सिया ? णो इणट्ठे समहे । एगपणे विणं जीवे नो जीवेत्ति वतव्त्रं सिया ? से केणं अद्वेणं ? जम्हाणं कसिणे ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૩૩
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy