SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તિ–વસ્થા ત્યાંથી ઉઠીને અનમણ–ચત્ આનં બીજા કેઈ સ્થાન ઉપર છે જ્ઞા-ન છેતુ ન જાય. આને ભાવ એ છે કે, સ્વાધ્યાય કરવા માટે અથવા તે કાર્યોત્સર્ગ કરવા માટે સ્ત્રી, પશુ, પંડકથી વજીત એવા સ્થાનમાં બેઠેલા મુનિએ ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ આવવાથી ઉદ્વિગ્ન ચિત્ત ન બનતાં વિષદ્યાપરીષહ કે જેનું બીજું નામ નિષેલિકીપરીષહ છે એને સહન કરે. અર્થાસ્મશાન આદિ સ્થાનમાં બેસવાથી ઉપસર્ગ વગેરેનું આવવું સ્વાભાવિક છે. આથી એવી સ્થિતિમાં મુનિનું કર્તવ્ય છે કે, તિર્ય" આદિ દ્વારા થતા એ ઉપસર્ગોને અવિચલીત ચિત્ત બની સહન કરે અને ભયભીત ન થાય, પિતાના રક્ષણના અભિપ્રાયથી એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ન જાય. દષ્ટાંત-હસ્તિનાપુરમાં કુરૂદત્ત નામે એક શેઠને પુત્ર રહેતું હતું એણે ધમને ઉપદેશ સાંભળી દીક્ષા ધારણ કરી લીધી. જ્યારે તે શ્રતચારિત્ર રૂપ ધર્મનું પાલન કરવામાં પૂર્ણ પણે નિણાત બની ગયા ત્યારે એમણે એકાકી વિહાર પ્રતિમા લઈ રામાનુગ્રામ વિચરણ કરવા માંડયું. વિહાર કરતાં કરતાં તે અધ્યા નગરીની પાસે ચેડા દૂરના પ્રદેશમાં કાર્યોત્સર્ગ ધારણ કરી રહ્યા. શત્રીના ચોથા પ્રહરના સમયે કઈ ગામથી ગાયો ચારીને ચોર કુરૂદત્ત મુનિની પાસેના માર્ગ ઉપરથી ઉતાવળથી નિકળી ગયા. ગાયે ચરીને ભાગેલા એ ચારની પાછળ એના નીકળી જવા પછી થોડીવારે ગાયે જેની ચોરાયેલી તે એની તપાસમાં નીકળ્યા. અને કુરૂદત્ત મુનિ જે સ્થાને બેઠેલ હતા ત્યાં પહોંચ્યા. આ સ્થાનેથી જુદી જુદી બાજુ જતા બે રસ્તા ફુટતા હોવાથી ગાયના માલીકોએ મુનિને બેઠેલા જોઈ તેની પાસે આવી પૂછયું કે, ભદંત ! અહિંથી ચેર કઈ બાજુએ ગયા? મુનિએ આને કઈ પ્રત્યુત્તર ન આપતાં તે લેકે મુનિ ઉપર ખીજાયા અને ક્રોધના આવેશમાં આવી જઈ તે લેકેએ મુનિરાજના માથા ઉપર માટીની ક્યારી બનાવી તેમાં બળ બળતા અંગારા મૂકી દીધા. એ લોકે દ્વારા કરાયેલા ઉપસર્ગથી મુનિને ખૂબ વેદના થઈ પરંતુ તેને ખૂબજ શાંત ચિત્ત સહન કરી. ચિત્તમાં જરા પણ ઉગ આવવા ન દીધું અને ધ્યાનમાં જ સમાધી ભાવમાં સ્થિર રહ્યા. અને કાળ ધર્મને પામી એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી. આ પ્રકારે અન્ય મુનિએ પણ આ કથાથી એવી શિક્ષા લેવી જોઈએ કે, નિષદ્યાપરીષહમાં કદાચ આ પ્રકારનાં વિશ્ન આવે તે એને સહન કરવો જોઈએ. ર૧ હવે સૂત્રકાર શય્યાપરીષહ જીતવાને કહે છે. “દત્તાત્રયહૂિ ઈત્યાદિ. અન્વયાર્થ–થામવંથાવાન ઠંડીના અને ગરમીના પરીષહેને સહન કરવાની શક્તિવાળા તથા તવર–તપસ્વી અનશન આદિ વિવિધ તપનું અનુષ્ઠાન કરવાવાળા ઉમરહૂ-મિલ્સ સાધુ ૩રવાવાહિં જ્ઞાહિં–જાવવામઃ શ્યામિ અનુકૂળ-જેવી કે, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૬
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy