SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખતે એક સાધુ અનશનથી કાળધર્મ પામ્યા, આર્ય રક્ષિત આચાર્ય સમદેવ મુનિને ધંતી છેડાવવાના ભાવથી સાધુઓને કહ્યું કે, જે કઈ આ મૃત્યુ પામેલા સાધુને પોતાની કાંધ ઉપર લઈને જશે તેમના માટે મહાન નિજ રા થશે. આ વાત સાંભળીને સેમદેવ મુનિએ કહ્યું કે હે પુત્ર! શું આ કાર્ય કરવામાં નિર્જરા થાય છે? આચાયે કહ્યું કે, હા ! થાય છે. સમદેવે કહ્યું કે, તે હું એને કાંધ ઉપર ઉપાડીને લઈ જઈશ. આચાર્યે કહ્યું કે, જુઓ! આમ કરવામાં બહુ વિઘ્ન આવે છે. કેટલાક બાળકે દેખતાં જ તેમની પાછળ પડે છે, હસી ઉડાવે છે, તે આમાં શાન્તી ભાવ રાખવું પડે છે. ક્રોધ આવે ન જોઈએ તથા જે કાર્ય કરવાને આરંભ કર્યો છે તેને અન્ત સુધી નભાવવું પડે છે. જે આ બધા વિનેને સહન કરવા માટે આપ આપને શક્તિશાળી માનતા છે તે જ તેમાં શ્રેય છે. નહિંતર અમારા સઘળા લેકેનું તેમાં અનિષ્ટ થઈ જશે. આ પ્રમાણે સમજાવવાથી જ્યારે સેમદેવ સમજી ગયા ત્યારે તેમણે તે શબને ઉઠાવી પિતાની કાંધ ઉપર રાખી લીધું અને સાધુઓની સાથે ચાલ્યા. માર્ગમાં મરેલા સાધુને ઉપાડી જતા સમદેવને જોઈને બાળકેએ આચાર્ય આર્ય રક્ષિતના ઈશારાથી તેમની છેતી ખેંચી લીધી. પિતાની ધતી નીકળી ગયેલી જાણીને તેમને નગ્ન થવાના કારણે ઘણી લજાને અનુભવ થવા લાગ્યું. તેઓએ ઈગ્યું કે, આ મરેલા સાધુના શબને કાંધથી નીચે ઉતારી બાળકે પાસેથી મારી ધોતી છોડાવી લઉં જ્યાં તેઓ એવું કરવાને ઉદ્યત બન્યા એટલામાં જ સાધુઓએ કહેવાને પ્રારંભ કર્યો કે, તેને નીચે ન ઉતારો એક તરફથી આમ કહેવાયું એજ વખતે એ સાધુઓમાંથી એક સાધુએ ચલપટ્ટો તેને પહેરાવવા માટે અગાઉથી જ સાથે રાખેલ તે પહેરાવી દીધા. લજજાથી એ સાધુના શબને વહન કરતાં સેમદેવે નિર્જન વનમાં એ શબને માસુમ ભૂમિ ઉપર ઉતારી દીધું અને આચાર્ય મહારાજની સમીપ આવીને કહેવા લાગ્યા હે પુત્ર! આજ ઘણે ભારે ઉપસર્ગ ઉપસ્થિત થયા હતા, પરંતુ તમારા કથન અનુસાર મેં સઘળું કાર્ય યથાવસ્થિત સંપૂર્ણ કરેલ છે. આચાર્યો એજ વખતે એક મુનિને કહ્યું કે, છેતી લાવીને આમને આપી દે. આચાર્ય મહારાજની વાત સાંભળીને સેમદેવે કહ્યું કે, હવે છેતીથી બસ કરે. મારે હવે તેની આવશક્યતા નથી. જે કાંઈ જેવું હતું તે જોઈ લીધું છે. જેથી આ ચલપટ્ટોજ મારા શરીર ઉપર રહે એજ ભાવના છે. તથા હું આજથી નવીન વસ્ત્ર પહેરવાનું નથી. અને બીજા સાધુઓ દ્વારા વપરાયેલા વસ્ત્રોને હું અંગિકાર કરીશ. એક જ પ્રાવરણથી, એક જ ચોલપટ્ટાથી સંયમ યાત્રાને નિર્વાહ કરીશ. આ પ્રકારે સેમદેવ મુનિ વિહાર કરતા કરતા નવા વસ્ત્રોની આકાંક્ષા વગર તથા બીજા પ્રાવરણ ચાદર અને બીજા ચલપટ્ટાની અનિચછાથી જીર્ણ શીર્ણ વસ્ત્રથી દિનતા ન બતાવતા અચેલપરીષહ સહન કરતા રહ્યા. એક ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૨૮
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy