SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ “ દિ” ઈત્યાદિ. અન્વયાર્થ–મેલવી-મેધાવી આગમમાં કહેલ મર્યાદાનું અનુસરણ કરવાવાળા મુનિ ૩જ્ઞાહિતd-asimમિતતઃ ઉણ સ્પર્શથી સંતપ્ત થવા છતાં પણ હિના નો વિષથ-જ્ઞાનનો પ્રાર્થચેન સ્નાનની અભિલાષા ન કરે જયં નો પરિહિંગાનો રિર્વિત પોતાના શરીર ઉપર પાણી ન છાંટે તેમ એને ભીનું પણ ન કરે કે ન તે ભીના કપડાથી લુછે, તથા “ qચં વીજા”—હ્માનં – વીના શરીર ઉપર વીંજણ વગેરેથી હવા પણ ન નાખે આને ભાવ એ છે–ઉષ્ણતાથી સંતપ્ત બનેલ મુનિએ પાણીને આશરે લે, એનાથી સ્નાન કરવું, પંખા આદિથી હવા ખાવી આ સમસ્ત શીતળ ઉપચાર કારક ક્રિયાઓને પરિત્યાગ કરે. પિતાના શરીર ઉપર ગરમીની વેદનાનું શમન કરવા માટે શીતળ જળને છાંટે પણ ન લે, આપનું વારણ કરવા માટે રજોહરણાદિકથી શરીર ઉપર છાયા પણ ન કરવી, છત્ર-છત્રી વગેરે પણ ધારણ ન કરવાં. અને આ પ્રકારનિ કિયાએ કરવાની ભાવના પણ ન રાખવી. જેમ બને તેમ ઉણપરીષહને સહન કરવાં. દષ્ટાંત–તગરા નામની નગરીમાં દત્ત નામના એક શેઠ રહેતા હતા, તેની ધર્મપત્નિનું નામ ભદ્રા હતું. ભદ્રાથી એક પુત્ર થયે જેનું નામ અરહત્રક હતું એક સમય શેઠે પિતાના સ્ત્રી પુત્રની સાથે અઈન્મિત્ર નામના એક આચાર્ય પાસે ધર્મને ઉપદેશ સાંભળ્યો એ ઉપદેશથી સંસારથી વિરક્તભાવ જાગ્યો અને સ્ત્રી પુત્ર સાથે તેણે દીક્ષા અંગિકાર કરી લીધી. પુત્રથી પ્રેમ હોવાને કારણે કદી પણ પોતાના પુત્રને ભિક્ષા લાવવા માટે મોકલતા ન હતા પરંતુ પોતે જ જઈને ભિક્ષા લાવતા અને પુત્રને પણ આહાર કરાવતા. પુત્રથી કાંઈ પણ કાર્ય કરાવતા નહીં. આ રીતે દત્ત મુનિના એ પુત્રરૂપ શિષ્ય ઘણી જ સુકુમાર પ્રકૃતિવાળા બની ગયા. કાલાન્તરે દત્ત મુનિને સ્વર્ગવાસ થયે. આ પછી સાધુઓની પ્રેરણાથી પ્રેરિત બની તે સુકુમારમુનિ ગ્રીષમકાળમાં ભિક્ષા લેવા માટે ગયા. સુકુમાર પ્રકૃતિ તો હતી જ, પિતાની હાજરીમાં તેણે જરા જેટલો પણ પરિશ્રમ કરેલ ન હતે. આથી ગ્રીષ્મકાળમાં સૂર્યનાં પ્રચંડ કિરણેથી સંતપ્ત બનેલ ભૂમિ ઉપર ચાલવાથી એના પગમાં છાલા પડી ગયાં, માથું ગરમ થઈ ગયું, ગળું ગરમીના કારણે સુકાઈ ગયું, ગરમીની એને અધિક વેદના થઈ પાસે જ કોઈ એક શેઠની ઘણી જ ઉંચી હવેલી હતી–આથી તે એ હવેલીની છાયામાં જઈને ઉભા રહ્યા. ઉભેલા મુનિને જોઈ એક વિરહણી સ્ત્રીનું એ તરફ લક્ષ ખેંચાયું જે શારીરિક રૂપ, લાવણ્ય અને સૌંદર્યથી તેની દ્રષ્ટિએ દેવ તુલ્ય દેખાયા. આ અરહન્નક સુકુમાર મુનિને જોઈને તે વિરહિણી વણિક સ્ત્રીએ પોતાની દાસી મારફત મકાન ઉપર લાવ્યા. મકાન ઉપર પહોંચતાં જ સુનિ અરહકને તેણે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૦૯
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy