SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ એ ચારે મુનિરાજ અનુત્તર વિમાનમાં એકભવ અવતારી રૂપથી ઉત્પન્ન થયા. આ પ્રકારે અન્ય મુનિએ પણ શીતવેદના સહન કરવામાં પોતાનું પરાક્રમ બતાવવું જોઈએ. છા ઠંડીના વખત પછી ઉનાળાને વખત આવે છે અહીં શીતપરીષહને સહન કર્યો પછી એથે ગરમીના પરીષહને પણ મુનિરાજે સહન કરવું જોઈએ. એ વાત નિચેની ગાથાથી સૂત્રકાર પ્રગટ કરે છે–“૦િ ” ઈત્યાદિ. ઉષ્ણ પરીષહ જય કા વર્ણન ઔર અરહન્નક મુનિ કા દ્રષ્ટાંત અન્વયાર્થી—વિહુ-છી જે ગ્રીષ્મ કાળમાં કે જ્યારે સૂર્ય પોતાના પ્રખર કિરણથી સમસ્ત ભૂમંડળ ઉપર પ્રબળ તાપની વર્ષા વરસાવે છે. સમસ્ત જીવ જેમાં અગ્નિના તાપની માફક બળતા હોય છે, વૃક્ષ સમૂહ શુષ્ક બની જાય છે, તરસથી બીચારા ભેળાં હરણના ટેળાં “આ જળધાર વહી રહી છે આ પ્રકારના ભ્રમથી પાગલની માફક મૃગજળ રૂપી જળના આભાસ તરફ દેડતાં રહે છે. જે ઋતુમાં સૂર્યના પ્રચંડ કિરણેથી ખૂબ તાપ પડે છે જેનાથી રેતી તપે છે, અને લૂ ચાલવા લાગે છે, સંતપ્ત રજકણથી મિશ્રીત તે જૂના વેગથી વ્યાકુળ બની મનુષ્ય પણ તે તપેલી ભૂમી ઉપર તરસના માર્યા પડી જઈ મૂર્શિત થઈ આસન્ન મૃત્યુ જેવા દેખાય છે. જે ગ્રીષ્મકાળમાં અટવીમાં પીપાસાને વશ જેનું તાળવું, હોઠ અને કંઠ સુકાઈ જાય છે, ગરમીના માર્યા મોટું જેનું ફાટી રહે છે અને જીભ લટકી જાય છે એવા પશુ પક્ષિઓથી વ્યાપ્ત થઈ જાય છે. તથા જેમાં આકાશ જુદી જુદી જાતનાં પાંદડાં, લાકડું, ઘાસ, કચરા, પુંજા વગેરેને ઉડાવવાવાળા પ્રતિકૂળ વાયુના સુસવાટા કરતા વનિથી વ્યાપ્ત થઈ જાય છે. એવા ઉણકાળમાં “લિક પરિવેનં-૩swાતિન” ઉણ પરિતાપથી સૂર્ય કિરણેના સંગથી તપેલ એવી જે ભૂમિ ધૂળ અને પાષાણુવાળી છેતેના દ્વારા જે કષ્ટ થાય છે, એનાથી તથા “રિયાળ” સૂર્યના કિરણો દ્વારા ગરમ થયેલા વાયુથી લુથી, અથવા દાહજવર આદિથી થનાર આંતરિક તાપથી વાવેvi-પરિવાર અને સૂર્યના કિરણથી ઉદ્ભવેલ અત્યંત ગરમીથી વિજ્ઞા-નિતઃ અતિશય પીડિત સાધુ “ચંનો પરિવણ-શાd નો વિ7 સુખની વાંછના ન કરે–મને કયા સમયે ચંદ્ર અથવા ચંદનની જેવી શીતળ પવન આદિને સંયેગ મળે કે જેથી મને શાંન્તી થાય. અર્થા–સાધુનું કર્તવ્ય છે કે તે દરેક અવસ્થામાં ઉષ્ણુ પરીષહને જીતે, પરંતુ તેનાથી ગભરાય નહીં. (૮) ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૦૮
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy