SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પરીષહ અચેલપરીષહ છે. (૬) સંયમવિષયક અપ્રીતિનું નામ અરતિ છે, એ અપ્રીતિરૂપ પરીષહ અરતિપરીષહ છે (૭) સ્ત્રી તરફના રાગપૂર્વક ગમન, વિલાસ, હાસ્ય, ચેષ્ટા તથા ચક્ષુને વિકાર-કટાક્ષ આદિના અવકન જોઈને પણ એ વિષયની કેઈ અભિલાષા ન કરવી તે પરીષહ તે સ્ત્રી પરીષહ છે. (૮) એક ગામથી બીજા ગામે વિહાર કર એનું નામ ચર્યા છે, આ રૂપ જે પરીષહ તે ચર્ચાપરીષહ છે. (૯) સ્વાધ્યાય કરવાના સ્થાનનું નામ નિષેલિકી છે તેવા રૂપનો જે પરીષહ તે નિશ્ચિકીપરીષહ છે. (૧૦) વસ્તીરૂપ પરીષહ શય્યાપરીષહ છે. (૧૧) અસભ્યભાષણ સહન કરવું તે આક્રોશપરીષહ છે. (૧૨) તાડનારૂપ પરીષહ વધપરીષહ છે. (૧૩) યાચનારૂપ પરીષહ તે યાચનાપરીષહ છે. (૧૪) અભિલષિત વસ્તુની અપ્રાપ્તિરૂપ પરીષહ તે અલાભપરીષહ છે.(૧૫) વાત, પિત્ત, કફની વિષમતાથી ઉત્પન્ન થયેલ કુષ્ઠાદિરૂપ પરીષહ રેગપરીષહ છે. (૧૬) દર્ભ આદિના સ્પર્શરૂપ પરીષહ તૃણસ્પર્શ પરીષહ છે. (૧૭) મેલ આદિરૂપ પરીષહ જલ્લપરીષહ છે. (૧૮) અન્ય દ્વારા વસ્ત્ર, પાત્ર આદિના દેવારૂપ સત્કાર, અને અભ્યસ્થાન, આસનપ્રદાન તથા વંદના આદિ કરવારૂપ પુરસ્કાર આ બન્ને રૂપ પરીષહ સત્કાર-પુરસ્કાર પરીષહ છે. (૧૯) સ્વયં વિમર્શપૂર્વક વસ્તુને નિર્ણય-પરિચ્છેદ કરવારૂપ પરીષહ પ્રજ્ઞાપરીષહ છે. (૨) મત્યાદિ જ્ઞાનના અભાવરૂપ પરીષહ અજ્ઞાનપરીષહ છે. (૨૧) ક્રિયાવાદી આદિના અનેકવિધ સિદ્ધાંતને શ્રવણ કરવાથી પણ સમ્યગ દર્શનને નિશ્ચય રૂપથી ધારી રાખવાના પરીષહનું નામ દર્શનપરીષહ છે. રા પરીષહોં કા સ્વરૂપવર્ણન મેં સુધા પરીષહ જય કા વર્ણન ઔર દ્રઢવીર્ય મુનિ કા દ્રષ્ટાંત આ પ્રકારે સુધર્મા સ્વામી પરીષહેન નામનું કથન કરીને હવે તે દરેકનું સ્વરૂપે પ્રગટ કરે છે–પરીસ ઈત્યાદિ. હે શિષ્ય ! “વિમરી–પરીષદુળ ઘમિત્તિ: પરિષહને પ્રથફ પ્રથફ વિભાગ પાસવેનું વેચા–જરૂચન કવિતા કાશ્યપગોત્રોત્પન્ન શ્રી મહાવીર વર્ધમાન સ્વામીએ સમવસરણમાં પ્રગટ કરેલ છે. તમે હારિકRાં ગુમારું કરિષ્યામિ હું એ પરીષહના પ્રથક્ પ્રથકુ વિભાગ તમેને કહીશ. સુદ-મે માનપૂ શ્રપુર આથી યથાક્રમ તેને સાંભળો. મારાથી આ સમસ્ત પરિષોમાં સુધા પરિષહ દુષ્કર છે. કહ્યું છે કે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૯19
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy