SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માવતી વર્ણન તરણ ઈત્યાદિ. મહારાજ કણિકને પદ્માવતી નામની મહારાણી હતી. “હુકુમાળખાયા' જેના હાથ પગ અત્યંત કમળ હતા. મરીનચંદ્રિયરી', લક્ષણ તથા સ્વરૂપથી પરિપૂર્ણ પાંચ ઇંદ્રિ સહિત શરીરવાળી હતી અર્થાત્ જેની ચક્ષુ આદિ પાંચે ઈદ્રિયે પિત પિતાના વિષય ગ્રહણ કરવામાં પૂર્ણ સાવધાન. તથા યથાયોગ્ય આકારવાળા હતી. જણાયંકાળાયા' જેનાથી એાળખાય તેને લક્ષણ કહે છે. અથવા હાથ આદિમાં બનેલી વિદ્યા ધન જીવન આદિની રેખાઓને લક્ષણ (ચિહ્ન) કહે છે. જેના દ્વારા અભિવ્યક્તિ (પ્રગટપણું) થાય છે તે તલ અથવા મસ આદિને વ્યંજન કહે છે. સુશીલતા પતિવ્રતપણું આદિ ગુણ છે. આ ત્રણેથી જે સ્ત્રી યુક્ત હોય તેને ઢક્ષા કર્થનrmખેતા કહે છે અથવા લક્ષણો દ્વારા વ્યક્ત હોવાવાળા ગુણેને લક્ષણ વ્યંજન ગુણ કહે છે. તથા તેનાથી યુક્ત જે સ્ત્રી હોય તેને ઢક્ષળવવાનur gવેતા કહે છે અથવા પૂર્વોકત લક્ષણે તથા વ્યંજનના ગુણોને લક્ષણ વ્યંજન ગુણ કહે છે. તથા તેનાથી યુક્ત જે સ્ત્રી હોય તેને સાચીગુપતા કહે છે. મહારાણી પદ્માવતીમાં આ ગુણો હતા. હાથની મુખ્ય મુખ્ય રેખાઓનાં લક્ષણ આ પ્રકારનાં છે –જેના હાથમાં બહુ રેખાઓ હોય અથવા બિલકુલ રેખા ન હોય તે અલ્પ આયુવાળા, નિર્ધન તથા દુઃખી હોય છે. એમ લક્ષણના જાણવાવાળા કહે છે. ૧ જે રેખા ટચલી આંગળીના મૂળથી નીકળે છે તે જીવન–આયુની રેખા છે. એક એક આંગળીમાં પચીસ–પચીસ વર્ષની આયુ હોય છે અર્થાત જે આયુની રેખા એક આંગળી સુધી હોય તે પચીસ વર્ષની આયુ, એ હિસાબે આગળ સમજી લેવું જોઈએ. (૨) ધનની રેખા કરભ-ગુદાથી નિકળે છે તથા મણિબંધ (કાંડાનાં મૂળથી) પિતૃરેખા ફટે છે. જે આ બધી રેખાઓ પૂર્ણ હોય તે આયુ, ગોત્ર, પ્રતિષ્ઠા તથા ધનને લાભ થાય છે. (૩) “ITHINGHTogggggTણવંચામુંદ્ર” જેના દ્વારા પદાર્થ માપી શકાય તેને માન કહે છે. અર્થાત્ ત્રાજવું, આંગળ, શેર, છટાક આદિના દ્વારા તળવું. અથવા કોઈ પુરૂષ વગેરે જલથી સંપૂર્ણ ભરેલા કુંડાદિ (શરીર જેટલો ઊંડો તથા લાંબો પહોળો)માં પિસે અને તેના પેસવાથી એક દ્રોણ (પરિમાણવિશેષ) જલ બહાર નિકળે છે તે પુરૂષ આદિને માનયુક્ત કહે છે. માન શબ્દથી આજ વાત સમજવી જોઈએ. માનથી અધિકને અથવા અર્ધભાર રૂપ પરિમાણને શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006457
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nirayavalika
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy