SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આંધળા નહિ મેળવી શકે, તેમ ભગવાનના ઉપદેશ બધા માટે સમાન હિતકારક હાવા છતાં પણ સભ્ય જીવેાજ તેના લાભ મેળવી શકશે અભવ્ય નહિ મેળવે. એ રીતે ભવ્યેાના હૃદયમાં અનાદિ કાળથી રહેલુ મિથ્યાત્વરૂપી મંધારૂ મટાડીને આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા. લેાક શબ્દથી અહીં લેાક અને અલાક એઉ સમજવાનું છે. આ રીતે કેવળજ્ઞાનરૂપી આલેાકથી તમામ લે!ક અને અલેાકને પ્રકાશ કરવાવાળા, મેાક્ષના સાધક, ઉત્કૃષ્ટ ધૈર્ય રૂપી અભયને દેવાવાળા, અથવા સમસ્ત પ્રાણિઓનાં સડેંટ મટાડનારી દયા (અનુકંપા) ના ધારક, જ્ઞાનરૂપી નેત્ર આપનારા અર્થાત્ જેમ કેાઈ ગહનવનમાં લૂટારાથી લૂટાઇ ગયેલા અને આંખે પાટા બાંધીને તથા હાથપગ પકડીને ખાડામાં નાખી દીધેલા મુસાફરને કાઇ દયાળુ બધાં બંધના તેાડી આંખેા ઉઘાડી દે છે તેવી રીતે ભગવાન પણ સંસારરૂપી અટવીમાં રાગ-દ્વેષ રૂપી લૂટારાથી, જ્ઞાનાદિ ગુણ્ણાને લૂટી તથા કદાચહરૂપી પાટાથી જ્ઞાનચક્ષુને ઢાંકી દઈ મિથ્યાત્વરૂપી ખાડામાં પાડી નાખેલા ભવ્ય જીવાને કદાગ્રહરૂપી પાટાથી મુક્ત કરી જ્ઞાનરૂપી નેત્ર દેવાવાળા, એટલે સમ્યક્ રત્નત્રય સ્વરૂપ મેાક્ષમાર્ગ અથવા વિશિષ્ટ ગુણના પ્રાપ્ત કરાવવાવાળા ક્ષાપશમભાવરૂપી માર્ગ દેવાવાળા, કર્મ શત્રુથી પીડિત પ્રાણિઓને આશ્રય દેવાવાળા, પૃથ્વી દિ છજીવ નિકાયમાં દૈયા રાખવાવાળા, અથવા મુનીચેાના જીવન આધાર સ્વરૂપ સચમ જીવન દેવાવાળા, શમ સવેગ આદિ પ્રકાશ અથવા જિન વચનમાં રૂચિ દેવાવાળા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક અર્થાત્ પ્રવર્ત્તક, ધર્મના સારથી અર્થાત્ જેમ રથ ઉપર બેઠેલાને સારથી રથવડે સુખપૂર્વક તેના અભીષ્ટ સ્થાને પહોંચાડે છે તેવી રીતે ભવ્ય પ્રાણિઓને ધર્મરૂપી રથદ્વારા સુખપૂર્વક મેાક્ષસ્થાન પર પહોંચાડનાર, દાન, શીલ, તપ તથા ભાવથી નરક આદિ ચાર ગતિઓના અથવા ચાર કષાયાના અંત કરવાવાળા, અથવા ચાર–દાન, શીલ, તપ તથા ભાવથી અંત=રમણીય, અથવા દાન આફ્રિ ચાર અન્ત=અવયવવાળા, અથવા દાન આદિ ચાર અન્ત=સ્વરૂપવાળા, શ્રેષ્ઠ ધર્મોને “ધર્મ વરચાતુરન્ત” કહે છે, એજ જન્મ જરા મરણના નાશ કરવાવાળા હાવાથી ચક્ર સમાન છે, એટલે ધર્મ વરચાતુરન્ત રૂપી ચક્રના ધારક, અહીં ‘વર' પદ દેવાથી રાજચકની અપેક્ષા ધર્મચકની ઉત્કૃષ્ટતા તથા સૌગત (ૌદ્ધ) આદિ ધર્મનું શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૫
SR No.006457
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nirayavalika
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy