SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવે કે અનંત સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુઓના સંયાગથી નિષ્પન્ન થયેલા કાષ્ઠાદિક તે શસ્ત્ર આદિ વડે છેઢી શકાય છે. અને ભેઢી શકાય છેતે પછી અનેક સૂક્ષ્મ પુદૂગલ પર માણુઓના સંયાગથી નિષ્પન્ન થયેલ આ વ્યાવહારિક પરમાણુ શસ્ત્ર આદિ વડે કેમ કાપી શકા તે નથી ? કેમ લેઢી શકાતા નથી ? કેમ અગ્નિ માં ભસ્મ કરી શકાતા નથી ? કાષ્ઠ આદિ કેની જેમ તેનું પણ છેદન તેમજ ભેદન થઈ જવુ જોઈએ. તે આ આશંકાને જવાબ આ પ્રમાણે છે કે કાષ્ઠાદિક સ્થૂલ હોય છે, એથી તેમનુ તે શસ્ત્ર આદિ વડે છેદન-ભેદન વગેરે થઈ શકે છે. પરંતુ વ્યાવહારિક જે પરમાણુ છે તે સૂક્ષ્મ હાય છે એથી તેનું શસ્ત્ર આદિ વડે છેદન-ભેદન થઈ શકતું નથી. અહીં જે આમ કહેવામાં આવ્યું છે કે તેની ઉપર શસ્ત્ર તે પ્રભાવ પડતા નથી તેા આ ઉપલક્ષણ છે. એનાથી એવુ પણ ગ્રહણ થાય છે કે એની ઉપર અગ્નિ-જલ વગેરેના પણ પ્રભાવ પડતા નથી. એને અગ્નિ ભષ્મ કરી શકતે નથી તેમજ પાણી પણ એને ભીતું કરી શકતું નથી. એવા આ વ્યાવહારિક પરમાણુ છે ગાઁગા આદિ મહાનદીઓના પ્રવાહ પણ એને પ્રવાહિત કરી શકતા નથી અને પાણી ની લહેરા પણ એને હલાવી શકતી નથી, સ્થાનચ્યુત કરી શકતી નથી. એ જ વાતને આ ગાથા પુષ્ટ કરે છેઃ— सत्थेण सुतिक्खेण वि छेत्तुं भेतुंच जे किर ण सक्का । तं परमाणु सिद्धा वयंति आई पमाणाण ॥ १ ॥ કોઈ પણ મનુષ્ય સુતીક્ષ્ણ શસ્ત્રથી પણ આ વ્યાવહારિક પરમાણુ ને ખડિત કરી શકતા નથી, વિદી કરી શકતા નથી, એવું ઉત્પન્ન કેવળ જ્ઞાની ભગવત્તાએ કહ્યું છે. અહી' સિદ્ધપદથી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત જન ગ્રેંડીત થયેલા નથી કેમકે તેમના વચન ચેાગ થતા નથી. એથી કેવળજ્ઞાનના આધારભૂત કેવળી જ અહીં ગૃહીત થયેલા છે. આ વ્યાવ હારિક પરમાણુ સકલ પ્રમાણેાને કહેનાર ઉચ્છલણ આદિ પ્રમાણેનું આદિ કારણ છે, આ જાતનું આ કથન ભગવદુત હેવાથી વ્યાવહારિક પરમાણુના અસ્તિત્વમાં આગમ પ્રમાણ રૂપ છે. એટલે કે વ્યાવહારિક પરમાણુ સત્તા વ્યાપક આગમ પ્રમાણુ છે. અનુમાન પ્રમાણ આની સત્તાને બતાવનાર આ પ્રમાણે છે‘કાળુ પમિાળું ચિત્ વિશ્રાન્તમ્ તતમન્ वाच्यत्वात् महत्परिमाणवत् ” મહત્ પરિમાણની જેમ અણુ પરિમાણ તરતમ શબ્દવાચ્ય હાવાથી કેાઈ સ્થાને વિશ્રાન્ત છે. એટલે કે જેમ તરતમ શબ્દ હેાવાથી મહત્ પરિમાણુ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૫૨
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy