________________
પટ્ટી ના જેવી એક બીજી વધારાની અસ્થિ હોય છે. તેનું નામ ઋષભ છે. ૩મારો મા
નું નામ નારાચ છે. તથાચ-બને અસ્થિઓને બન્ને તરફથી મર્કટ બંધનથી બદ્ધ કરીને અને પટ્ટાકૃતિ જેવી એક ત્રીજી અસ્થિ વડે પરિવેષ્ટિત કરીને ફરી આ ત્રણે અસ્થિઓ ને બહુજ સુદઢ કરવા માટે તેઓ એક બીજીથી વિઘટિત થઈ ન જાય-આ પ્રમાણે તેમને સુદઢ બનાવવા માટે જે સંહનનમાં કલિકાના આકાર જેવી વજા નામની અસ્થિ પરોવા. ઈને રહેલ છે તે સંહનનનું નામ વજા ઋષભનારા સંહનન છે. શાણ પર-કસોટી પર– કસવામાં આવેલ સુવર્ણની રેખાઓ જેમ ચમકતી હોય છે અને ગૌરવર્ણની પ્રતીત થાય છે. તેમ આ ગૌતમનું શરીર પણ હતું. એ ઉગ્રતપસ્વી હતા પારણાદિના સમયે એઓ વિચિત્ર પ્રકારના અભિગ્રહો ધારણ કરતા રહેતા હતા કેમકે ચરિત્ર વિશુદ્ધિના પ્રત્યે એમના પરિણામો સર્વદા જાગૃતિ સંપન્ન રહેતા હતા. કેઈમાં પણ એવી તાકાત નહોતી કે જેથી એમને અનશનાદિના ભેદથી ૧૨ પ્રકારના તપથી વિચલિત કરી શકે. આ પ્રમાણે તીવ્ર તપની આરાધનામાં તેઓ તલ્લીન હતા. જેમાં અગ્નિ વનને દગ્ધ કરવામાં કચાશ રાખતી નથી, તેમ એમનુઉગ્ર તપ પણ કર્મ રૂપ કાંતાર (વન) ને સર્વથા ક્ષપિત (વિનષ્ટ) કરવામાં સમર્થ હતું એજ વાત “તતd' વિશેષણથી સૂત્રકારે પ્રકટ કરી છે “તcતત પદથી આમ સમજાવવામાં આવ્યું છે કે તપસ્યાની આરાધના એઓ કઈ લૌકિક કામના માટે કરતા ન હતા પરંતુ કર્મોની નિર્જરા માટે જ એઓ કરતા હતા. “માતા” એમને એટલા માટે કહેવામાં આવેલ છે કે જે જાતની તપસ્યા એઓ કરતા હતા. તેવી તપસ્યા બીજા સાધારણ તપસ્વીઓ માટે એકદમ અશકય જ હતી. એઓ બહુજ ઉદાર આશય યુક્ત હતા. કેમકે સકલજીની સાથે એમને વ્યવહાર મંત્રી ભાવપૂણ હતે. એઓ ને ? એટલા માટે કહેવામાં આવેલ છે કે પરીષહ અને ઉપસર્ગથી એઓ વિચલિત થતા નહી તેમજ કષાય આદિ આત્માના વિકારી ભાવે ને એ બહુજ દૂર રાખતા હતા. આ સર્વ વિકારે એમની પાસે આવતાં ભયભીત થતા હતા “વ્રત' કાતરોથી દુર એમના વતેસમ્યક્ત્વ શીલાદિ વ્રત હતા. “'–મૂલગુણાદિક જે એમના ગુણહતા તે અન્ય લોકો વડે દૂરનુચર હતા ઘેરતપવી એ એટલા માટે હતા કે એઓ કઠણ માં કઠણ તપોની આરાધનામાં તલ્લીન હતા એ ઘર બ્રહ્મચર્યવાસી એટલા માટે હતા કે બીજા અપસવ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા