SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આ યુગલિક જીવોનું અકાલમાં મરણ થતું નથી. એએ પિતાના અપત્યનું ૪૯ દિવસ સધી લાલન-પાલન અને સંરક્ષણ કરે છે, એવું જે કહેવામાં આવ્યું છે તે એ દિવસે એ એ અપત્યોની કેવી સ્થિતિ થતી રહે છે. આ સંબંધમાં કેટલાક લોકોનું આ પ્રમાણે કહેવું છે કે सप्तोत्तानशया लिहन्ति दिवसान स्वागुष्ठमार्यास्ततः औ रिङवन्ति पदेस्ततः कलगिरो यान्ति स्खलदभिस्ततः । स्थेयोभिश्च ततः कलागुणभृतस्तारुण्य भागोदगताः ॥ सप्ताहेन ततो भवन्ति सुद्गादानेऽपि योग्यास्ततः ॥ એના અભિપ્રાય આ પ્રમાણે છે કે એ યુગલાદિ જ જયારથી જન્મ ગ્રહણ કરે છે ત્યારથી ૭ દિવસ સુધી તે એટલે કે પ્રથમ સપ્તાહ માં તે ઉપરની તરફ મો કરીને સૂતાં સૂતાં જ પોતાના અંગુષ્ઠને ચૂસતા રહે છે. પછી બીજા સપ્તાહમાં પૃથ્વી હમાં પૃથ્વી ઉપર પગ તેમજ ઘૂંટણના બળે સરકવા માંડે છે. ત્રીજા સપ્તાહમાં એ મધુર વાણી બેલવા માંડે છે. ચતુર્થ સપ્તાહમાં એઓ સાત દિવસ સુધી લથડાતાં-લથડાતાં ચાલવા માંડે છે. પાંચમા સપ્તાહમાં એએ સ્થિર થયેલા પગથી ચાલવા માંડે છે. છટ્ઠા સપ્તાહમાં એ એ સર્વ કલાઓમાં વિશારદ થઈ જાય છે. સાતમાં સપ્તાહમાં એ સેવે યુવાવસ્થાપન ભગોના ઉપકતા થઈ જાય છે, અને કેટલાક તે સમ્યગ્દર્શન ગ્રહણ કરવા યોગ્ય પણ થઈ જાય છે. અહીં એ જે કંઈ કહેવામાં આવ્યું છે તે સુષમ સુષમા આરકના પ્રારંભક સમયને લઈને કહેવામાં આવ્યું છે કેમકે એના પછી તે એના કરતાં પણ વધારે કામે સંભવી શકે છે, એવી સંભાવના થાય છે. અહીં કે એવી પણ શંકા ઉઠાવી શકે છે કે તે સમયે અગ્નિ સંસકાર વગરેની અપ્રાદુભૂતિતામાં મૃતક શરીરોની કેવી સ્થિતિ થતી હશે ? તે એના ઉત્તરમાં એવું જ સમજવું જોઈએ કે તે સમયમાં ? લિક જીના શરીરને ભાડાદિ પક્ષી નીડકાષ્ઠાની જેમ ઊડાવીને નદી–સાગર વગેરેમાં નાખી દેતાં હશે કેમકે તે સમયને જગને એ સ્વભાવ હોય છે. અહી' ફરી કોઈ બીજી શંકા ઉઠાવી શકે છે કે ઉત્કૃષ્ટથી પણ ધનુ પૃથકૂવ પ્રમાણ શરીરવાળા તે પક્ષીઓ પિતાના કરતાં ઉત્કૃષ્ટ પ્રમાણવાળા મનુષ્ય શરીર ને કેવી રીતે ઉઠાવી ને સમદ્ર વગેરેમાં નાખતા હશે ? તે આનો જવાબ એ છે કે કેટલાક પક્ષીઓના શરીરનું પ્રમાણ અરકની અપેક્ષાએ યથાસંભવ બહુ બહુતર અને બહુતમ ધનુઃ પૃથકત્વ પ્રમાણવાળા હોય છે. એથી તત્કાળવતી યુગલિક નર અને હસ્તીઓની અપેક્ષાએ તેમના શરીરનું પ્રમાણ અધિક હેવાથી તે પક્ષીઓ તે મનુષ્યના મૃતશરીરને ઉચકી શકવામાં સમર્થ હોય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે “તીરે રે! માર મારે વારે વાયદા મg ા #નુરવિનરથા” હે ભદંત તે કાળે ભરતક્ષેત્રમાં કેટલા પ્રકારના મનુષ્યો કાળથી કાલાન્તરમાં સન્તતિભાવથી ઉત્પન્ન થયા ? એના જવાબમાં પ્રભુ કહે છે-“ોય છfa gunત્તા તે -viધા, મિત્ર , અમા, તેતી , ' હે ગૌતમ છ પ્રકારના મનુષ્યો તે કાળે ઉત્પન્ન થયા. જેમકે પદ્મબન્ધ-પદ્રના ગંધ જેવા ગંધથી યુક્ત શરીર વાળા મનુષ્યો, મૃગગ મૃગની એટલે કે કસ્તુરીના ગંધ જેવા ગંધથી યુક્ત શરીરવાળા ઉઠાવી શકે છે 35 મા ઉત્તરમાં એવું જ સમ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૮૮
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy