SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ યુક્તા કાર્તિકી પુનમને “યુક્તા” એ નામવાળી કહેવી તેમ સ્વશિષ્યોને કહેવું, અહીં છાયા માત્રથી જ અર્થ સ્પષ્ટ કરેલ છે. આજ ક્રમથી ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી આષાઢી પૂર્ણિમાનું કથન ન આવે. (લાલ જાનારી પુforમાં ગુત્તત્તિ વત્તરä સિયા) યાવત અષાઢી પૂર્ણિમા યુક્તા” એ નામથી સ્વશિષ્યને કહેવું. વધારે વિસ્તારથી શું પ્રજન? કારણ કે અલગ અલગ દરેક પૂર્ણિમા સંબંધી સૂત્ર અને છાયાના કથનથી કેવળ ગ્રન્થ વિસ્તાર જ થશે. તેથી વિશેષ કંઈક લાભ દેખાતું નથી. તેથી આટલા કથનથી જ સમજી લેવું. આ રીતે અહિયાં પૂર્ણિમા સંબંધી કથન કહ્યું છે. હવે અમાવાસ્યાના વિષયમાં કથન કરવામાં આવે છે–(તા નાવિuિri ગમવા રિ Tહત્તા ગોપત્તિ) શ્રીગૌતમસ્વામી કહે છે કે હવે અમાવાસ્યાના સંબંધમાં પ્રશ્ન પૂછું છું કે શ્રાવણ માસની શ્રાવિષ્ઠી અમાવાસ્યા કેટલા નક્ષત્રો એગ કરે છે? અર્થાત્ યથા સંભવ ચંદ્રની સાથે ચોગ કરીને શ્રાવિષ્ઠિ અમાવાસ્યાને સમાપ્ત કરે છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે છે (ઢોuિr Fuત્તા ગોપતિ, a sઈ જણે ચ મ ૨) અશ્લેષા અને મઘા એ બે નક્ષત્ર શ્રાવિષ્ઠી અમાવાસ્યાનો યથા સંભવ ચંદ્રની સાથે એગ કરીને સમાપ્ત કરે છે. અહીંયાં વ્યવહાર નથી આ નક્ષત્રમાં પણિ મા હોય છે. અને તેનાથી આરંભ કરીને નજીકના પંદરમા નક્ષત્રમાં અમાવાસ્યા હોય છે. અને જે નક્ષત્રમાં અમાસ હોય છે, ત્યાંથી લઈને તેનાથી પંદરમાં નક્ષત્રમાં પૂનમ હોય છે, શ્રાવિષ્ઠી પૂર્ણિમા શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રતિપાદિત કરેલ છે. તેથી આ શ્રાવિષ્ઠી અમાવાસ્યામાં અલેષા અને મઘા નક્ષત્ર કહ્યા છે. લેકમાં પણ તિથિ ગણુનાનુસાર ગતઅમાસથી વર્તમાન પ્રતિપદ પર્યન્તના અહોરાત્રમાં પહેલાં અમાવાસ્યા હોય છે. આ સંપૂર્ણ અહોરાત્ર અમાસથી કહેવાય છે. એ જ પ્રમાણે મઘાનક્ષત્ર પણ આ રીત પ્રમાણે વ્યવહારથી અમાવાસ્યામાં આવે છે. તેથી કોઈ દોષ નથી, વાસ્તવિક રીતે તે આ શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા આ ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. અમાવાસ્વાના ચંદ્રગના જ્ઞાન માટે પૂર્વસૂત્રની ટીકામાં કરણનું કથન કરેલ છે, ત્યાં તેની ભાવના આ પ્રમાણે કહેલ છે, કેઈ પૂછે છે કે-યુગની આદિમાં પહેલી શ્રાવિષ્ઠી અમાસ કયા નક્ષત્રના ચંદ્ર ગવાળી થઈને સમાપ્ત થાય છે? તે ત્યાં પહેલા કહેલ સ્વરૂપવાળી અવધાર્થ રાશી ૬૬ છાસઠ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ - તથા બાસડિયા એક ભાગને સડસડિયે એક ભાગ નું આટલું પ્રમાણ થાય છે. આ પ્રમાણને એકથી ગણવામાં આવે તે પહેલી અમાસના સંબંધી પ્રશ્ન હોવાથી એકથી ગુણેલ એજ સંખ્યા રહે છે. કારણ કે એકથી ગુણવાથી એટલીજ સંખ્યા થાય છે. તેથી બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ આટલું પ્રમાણ પુનર્વસુ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧ ૩૧૧
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy