SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં ઉદિત થાય છે, એ જ પ્રમાણે કાલેદધિ સમુદ્ર અને લવણ વિગેરે સમુદ્રમાં ઉદયને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની ભાવના ભાવિત કરી લેવી. (ता जया णं अभंतरपुक्खरड्ढेणं दाहिणडूढे दिवसे भवइ, तया णं उत्तरड्ढे वि दिवसे भवइ, जया णं उत्तरडढे दिवसे भवइ तया णं अब्भतरपुक्खरड्ढे मंदराग पव्वयाणं पुरथिमપસ્થિi 1 મારૂ) જ્યારે અત્યંતર પુષ્કરાઈના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે અત્યંતરપુષ્કરા ઈમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમદિશામાં રાત્રી હોય છે. આ રીતે આનો અર્થ સ્પષ્ટ જ છે. અહીંયાં વિશેષતા એ છે કે–અત્યંતરપુષ્કરાર્ધમાં તેર સૂર્યો કહ્યા છે તે પૈકી છત્રીસ સૂ દક્ષિણ દિશામાં સંચરણ કરીને જંબૂદ્વીપના સૂર્યની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ થઈને ગતિ કરે છે. તથા છત્રીસ સૂર્ય ઉત્તર દિશામાં સંચરણ કરવાવાળા સૂર્યની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ થઈને સંચરણ કરે છે, ત્યાં ઉદયવિધિ અને દિવસ રાત્રિના વિભાગ, ક્ષેત્ર વિભાગના કથન પ્રમાણે પહેલાના કથન પ્રમાણે સમજી લેવું. તેનાથી યૂનાધિક કંઈ જ નથી, કેવળ જબૂદ્વીપના સ્થળે અત્યંતરપુષ્કરાઈ એ રીતે ભેજના કરી લેવી. લવણસમુદ્રની ભાવના કરતી વખતે (ઢાળમ) આ પ્રમાણે કહેવું. તથા ધાતકી ખંડના કથન સમય (ધાતી) એ પ્રમાણે કહેવું, પરંતુ ધાત્રીખંડમાં બાર સૂર્યો હોય છે, કારણ કે (ધારૂ લીવે ઘારણ ચં ચ શૂરિયા) આ પ્રમાણે આગમનું પ્રમાણ છે એ બાર સૂર્યોમાં છ સૂર્ય દક્ષિણ દિશામાં સંચાર કરીને જંબુદ્વિીપમાં રહેલા અને લવણ સમુદ્રમાં રહેલા સૂર્યની સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ થઈને સંચાર કરે છે, ત્યાં પણ ક્ષેત્ર વિભાગથી રાત દિવસને વિભાગ થાય છે, તે વિભાગનું કથન પહેલાં કહેવામાં આવી ગયેલ છે. અને બધે જ જંબુદ્વીપમાં કહેલ ભાવના પ્રમાણે ભાવના કરીને સમજી લેવું. એ પ્રકાર યાવત્ ઉત્સર્પિણીના આલાપકના કથન પર્યત કહી લે, કાલેદ સમદ્રમાં લવણ સમુદ્રના કથન પ્રમાણે કથન કરી લેવું. ત્યાં બેંતાલીસ સૂર્યો કહ્યા છે, તેમાં એકવીસ સૂર્ય દક્ષિણ દિશામાં સંચાર કરનારા સૂર્યની સાથે જંબૂદ્વીપમાં રહીને તથા લવણસમુદ્ર ધાતકી ખંડમાં રહેલ સૂર્યની સાથે સમશ્રેણીથી સંબદ્ધ થાય છે, તથા એકવીસ સૂર્યો ઉત્તર દિશામાં સંચાર કરીને જંબુદ્વીપ, લવણસમુદ્ર તથા ધાતકી ખંડમાં રહેલા સૂર્યની સાથે સમશ્રેણીથી સંબંધ થઈને સંચાર કરે છે, ત્યાં ઉદયવિધિ અને દિવસરાત્રિને વિભાગ ક્ષેત્રવિભાગથી જ થાય છે. એ પહેલાં કહેલ છે. જેથી વિશેષ કહેવાનું પ્રયોજન નથી. (=ET વંતુરીવે સીવે તવ નાવ વસદિuળો શોHિળી) બાકીનું દ્વીપ સંબધી કે સમુદ્ર સંબંધી કંઈ પણ કથન કહ્યા વગરનું હોય તે તમામ કથન જંબુદ્વીપમાં કહેલ કથન પ્રમાણે જ કથન કરીને સમજી લેવું. એ કથન ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પર્યન્ત શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧ ૨૩૭
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy