SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્થાન સંસ્થિત કહેવાય છે. આવા પ્રકારના સંરથાનવાળા હોવા છતાં પણ હીન સંસ્થાનવાળા હોઈ શકે એ શંકાના પરિહાર માટે કહે છે-(વજ્ઞરિસનારાયસંઘચ) વાષભનારા સંહનનવાળા હતા. વજાખીલાના આકારના અસ્થિ વિશેષને કહે છે. અષભ-ખીલાના આકારના અસ્થિની ઉપર વીંટવારૂપ પાગૃતિ અસ્થિ વિશેષ છે. નારાચ-બન્ને બાજુ મર્કટ બંધના જેવા ખીલાના આકારના અસ્થિ વિશેષ આવા પ્રકારનું સંહનન જેનું હોય તે વર્ષભ નારા સંહનનવાળા કહેવાય છે. અર્થાત્ વાદિના જેવા સંગતિ શરીરવયવ દેહધારી હતા એવા તે ઈદ્રભૂતી અનગારે (ત્રાવ વં વઘારી) યાવત્ પ્રભુને આ પ્રમાણે કહ્યું અહીંયા પણ યાવત્ શબ્દથી ઔપપાતિક સૂત્રમાંથી અકથિત વિષય અહીં સમજી લે. અર્થાત્ સર્વ પ્રકારના શ્રમણ લક્ષણોથી યુક્ત તથા શિષ્યના સમગ્ર ગુણવાળા તથા ભગવાનની સેવા કરતાં કરતાં બન્ને હાથની અંજલી બનાવીને ઇંદ્રભૂતિ અનગાર ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે કહેવા લાગ્યા અર્થાત્ વયમાણ પ્રકારથી સૂર્યાદિ વિષય સંબંધી પ્રશ્ન પૂછવા લાગ્યા. આ સૂ૦ ૨ હવે વિસ પ્રાભૃતમાં જે વક્તવ્યતા કહેલ છે તેને લક્ષ્ય કરીને પાંચ ગાથાઓ દ્વારા ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે-(મંઢાપુ) ઈત્યાદિ. વીસ પ્રાકૃત કા અધિકાર કથન ટીકાથ–ચાર ચાર પ્રાભૃતના પ્રશ્નોની એક એક ગાથા કહીને પાંચ ગાથાઓ દ્વારા ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે--મંઢા વજ) ઈત્યાદિ મંડલપદ કહેવાથી તથા સૂર્યપ્રાપ્તિ સંબંધી પ્રશ્ન પૂછવાથી સૂર્યમંડળ સમજવું જોઈએ મંડલશબ્દ રૂઢયર્થને બેધક છે. તે રૂપી અનેક અર્થમાં થાય છે. અહીંયાં સૂર્ય જે સ્થળેથી ઉગે છે. એ સ્થાનને મંડળશબ્દથી જાણવું. બાહ્ય અને આત્યંતર રીતે બે પ્રકારના હોય છે. એ મંડળને સૂર્ય એક વર્ષમાં કેટલી વાર પૂરે છે? ક્યાં એક વાર જાય છે? અને ક્યાં બે વાર જાય છે? એ પ્રમાણેના આ પ્રશ્નો પૂછેલ છે. આકાશમાં જે સરે છે અર્થાત્ ગમન કરે છે તે સૂર્ય કહેવાય છે. અથવા જગતને જે પ્રેરણા આપે અને જે પ્રકાશ આપે તે સૂર્ય છે. આકાશ મંડલાધિષ્ઠિત અથવા મંડળના અધિપતિ તિષ્ક દેવ વિશેષ અગર આકાશસ્થ ગૃહ વિશેષ સૂર્ય છે તે સૂર્ય એક વર્ષમાં કેટલા મંડળમાં જાય છે? એક વાર અથવા બે વાર કેટલા મંડળને પૂરે છે? આ રીતે ગૌતમસ્વામીએ પૂછવાથી તેને ઉત્તર પહેલા પ્રાભૃતમાં કહેવામાં આવે છે. બાકી કથન શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy