SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત એ પ્રકારે મંડળની કલ્પના કરીને પૂર્વ પશ્ચિમ તરફ લાંબી અને ઉત્તરદક્ષિણ લાંબી જીવા એટલે કે દોરીથી તે તે મંડળને ચાર ભાગથી વહેંચીને એટલે કે તેના એકસો વીસ ભાગ કરીને દક્ષિણપૂર્વ એટલે કે અગ્નિ ખૂણામાં અને ઉત્તરપશ્ચિમ એટલે કે વાયવ્ય કોણમાં મંડળના ચોથા ભાગના એકત્રીસ ૩૧ ભાગ પ્રમાણમાંથી એક ચોવીસ મંડળ સૂર્યોદય કાળમાં પ્રાપ્ત થાય છે. (૪૩વીસેળ છેત્તા રમાયામંતિ ) આ કથનથી એ સિદ્ધ થાય છે. આ પ્રત્યક્ષમાં ઉપલભ્યમાન રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય અર્થાત અત્યંત સમ હોવાથી રમણીય પ્રદેશવાળા ભૂમિ ભાગની ઉપર આઠસે જન ઉપર જઈને અર્થાત્ બુદ્ધિની કલ્પનાથી જઈને આ આકાશપ્રદેશમાં પ્રભાતકાળમાં સૂર્ય ઉદિત થાય છે. (ते ण इमाइं दाहिणुत्तराई जंबुद्दोवभागाई तिरियं करति तिरियं करिता पुरथिमपच्चस्थिमाई जंबुद्दीवभागाई तामेव रातो तेणं हामई पुरथिमपच्चस्थिमाई जंबुद्दीवभागाइं तिरियं करेंति तिरियं રિત્તા રાજુત્તરારું સંયુરીનમારું તમેવ તો) ત્યારે દક્ષિણેત્તર દિશાને જંબુદ્વીપવાળે ભાગ અર્થાત્ બને ભાગોને તિર્ય કરે છે. તિર્યફ કરીને પૂર્વ પશ્ચિમના જ બૂઢીપના બે ભાગમાં શત્રિ કરે છે, જ્યારે આ પૂર્વ પશ્ચિમના બે ભાગને તિર્ય કરે છે ત્યારે દક્ષિણઉત્તરના જંબુદ્વીપના બે ભાગોમાં રાત્રિ થાય છે. કહેવાનો ભાવ એ છે કે-જ્યારે પ્રભાતકાળમાં રત્ન ગર્ભા વસુંધરાની પૂર્વ દિશામાં બે સૂર્યો ઉદિત થાય છે. એ સમયે આ દક્ષિણ ઉત્તરના જંબૂ દ્વીપના બે ભાગેને પ્રકાશિત કરે છે અર્થાત્ તિર્યફ ભ્રમણ કરીને પ્રકાશિત કરે છે ત્યાં જ યથાવતુ પ્રકાશિત કરીને એજ સમયે પૂર્વ પશ્ચિમના જંબુદ્વીપના બે ભાગમાં રાત્રિ કરે છે, એટલે કે એ બે ભાગને પ્રકાશિત કરતા નથી, તથા એ સમયે એજ બે સૂર્ય પૂર્વ પશ્ચિમના જંબુદ્વીપના બે ભાગોને જ્યારે તિય ભ્રમણ કરીને પ્રકાશિત કરે છે. ત્યારે વસતિથી પૂર્વ પશ્ચિમના બે ભાગોને પ્રકાશિત કરીને એજ સમયે દક્ષિણ ઉત્તરના જબૂદ્વીપના બે ભાગમાં રાત્રી કરે છે, અર્થાત્ એક ભરતક્ષેત્રને સૂર્ય અને બીજે રવત ક્ષેત્રને સૂર્ય આ પ્રમાણેના બે સૂર્યો હોવાથી તેને તેનો ઉમન આ રીતે થાય છે, દક્ષિણપૂર્વના મંડળના ચતુર્થ ભાગમાં ભરતક્ષેત્રનો સૂર્ય ઉદિત થાય છે. તથા પશ્ચિમ ઉત્તરના મંડળના ચોથા ભાગમાં એરવત ક્ષેત્રનો સૂર્ય ઉદિત થાય છે. એ પ્રમાણે ભારત અને એરવત ક્ષેત્રના ઉદિત થતા બેઉ સૂર્યો ક્રમાનુસાર દક્ષિણ ઉત્તરના જંબુદ્વીપના ભાગોને પ્રકાશિત કરે છે, અર્થાત્ ભરત ક્ષેત્રનો સૂર્ય દક્ષિણ પૂર્વના મંડળના ચતુર્થભાગમાં ઉદિત થઈને તિર્યફ પરિભ્રમણ કરે છે, તથા તિર્થક પરિભ્રમણ કરીને મેરૂ પર્વતના દક્ષિણ ભાગને પ્રકાશિત કરે છે, તથા એરવત ક્ષેત્રને સૂર્ય બીજા ઉત્તર ભાગમાં ઉદય પામે છે. તે ત્યાં ઉદિત થઈને તિર્યફ પરિ બ્રિમણ કરીને મેરૂપર્વતના ઉત્તરના ભાગને પ્રકાશિત કરે છે દક્ષિણઉત્તરના બે ભાગોને પ્રકાશિત કરીને તે આ પૂર્વ પશ્ચિમના જંબુદ્વીપના ભાગોને પ્રકાશિત કરે છે. આ કથનની ભાવના આ શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧ ૧૦૬
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy