SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વક્તવ્યતા કહી છે, તે જ ભવનવાસ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વાદ્ધિ, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિ, પંચેન્દ્રિ, તિર્યંચે, મનુષ્ય, વાનવ્યન્તરો, તિષ્કો અને વૈમાનિકેના વિષયમાં પણ સમજી લેવું જોઈએ કે જેને કાયિકી ક્રિયા થાય છે, તેને નિયમથી આધિકણિકી કિયા પણ અવશ્ય થાય છે અને જેને આધિકરણિકી ક્રિયા થાય છે, તેને નિયમથી કાયિકી કિયા પણ થાય છે. એ પ્રકારે પ્રથમ દંડકનું પ્રતિપાદન કરાયું. હવે કાળની અપેક્ષાથી બીજુ દંડક કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે સમયમાં જીવને કાયિકી કિયા થાય છે, શું એ સમયે આધિકરણિકી ક્રિયા થાય છે? તેમજ જે સમયે આધિકરણિકી ક્રિયા થાય છે, તે સમયે કાયિકી કિયા થાય છે? “ સમ' અર્થાત “ સમજે આહીં ‘ાત્રાન્ત ' એ સૂત્રથી અધિકરમાં દ્વિતીયા વિભક્તિ થઈ. અહીં “સ” શબ્દથી કાલ સામાન્ય અર્થ સમજવું જોઈએ શ્રી ભગવાહે ગૌતમ ! જેવું આદ્ય (પ્રથમ) દંડક કહ્યું છે તેવું જ આ બીજું દંડક પણ કહી લેવું જોઈએ. યાવિત નારક અસુરકુમાર આદિ ભવનવાસી, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વનવ્યતર, જયે.તિષ્ક અને વૈમાનિક ને જે કાળમાં કાયિકી ક્રિયા થાય છે, તે કાળમાં આધિકરણિકી ક્રિયા પણ થાય છે, અને જે કાળમાં આધિકરણી કિયા થાય છે તે કાળમાં કાયિકી ક્રિયા પણ અવશ્ય થાય છે. હવે ક્ષેત્રની અપેક્ષાએ બે દંડક કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! જે દેશથી જીવને કાયિકી ક્રિયા થાય છે તે દેશથી આધિકરણિકી ક્રિયા પણ થાય છે? અને જે દેશથી જીવને આધિકરણિકી ક્રિયા થાય છે તે દેશથી કાયિકી કિયા થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! વૈમાનિકો સુધી એ પ્રકારે. અર્થાત પ્રથમ દંડક ની જેમજ જીવને જે દેશથી કાયિકી ક્રિયા થાય છે તેના જ દેશથી આધિકરણિકી ક્રિયા થાય છે અને જે દેશથી આધિકાણિકી ક્રિયા થાય છે, તે દેશથી કાયિકો ક્રિયા પણ થાય છે. આ વિધાન બધા દંડકના જીવોને લાગૂ થાય છે. નારક, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિકની જે દેશથી કાયિકી ક્રિયા થાય છે. તેજ દેશથી આધિકરણિકી ક્રિયા પણ થાય છે. તેમજ જે દેશથી આધિકરણિકી ક્રિયા થાય છે, તે દેશથી કાયિકી ક્રિયા પણ થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જે પ્રદેશથી જીવને કાયિકી ક્રિયા થાય છે, તે પ્રદેશથી આધિકરણિકી ક્રિયા પૂર્ણ થાય છે? અને જે પ્રદેશથી આધિકરણિકી કિયા થાય છે, તે પ્રદેશથી શું કાયિકી ક્રિયા પણ થાય છે? શ્રી ભગવાન-હે ગતમ! હા એમજ છે. વૈમાનિકે સુધી અર્થાત પ્રથમ દંડકના સમાનજ અહીં પણ કહેવું જોઈએ, યાવત નૈરયિક, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૮
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy