SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ આભોગ (ઉપગ) નથી થતો, તેથી જ તેમના આહાર સદા અનાગનિર્વતિત જ કહેલ છે. તે કયારેય આભોગનિર્વતિત નથી થતા. કેમકે મને દ્રવ્યની અત્ય૯પતા વિવક્ષિત નથી, એજ કહે છે-નાર કૅની સમાન અસુરકુમારે, નાગકુમાર આદિ ભવનપતિ, કીનિયે, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયે, પંચેન્દ્રિયતિર્યંચે, મનુષ્ય, વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકે ના પણ આહાર આભોગનિર્વતિત અને અનાભોગનિર્વતિત હોય છે, પણ એકેન્દ્રિયોના આહાર આભોગનિવર્તિત નથી હોતા પણ અનાભોગનિર્વર્તિત જ હોય છે. આ વિષયમાં યુક્તિ પહેલા કહી દીધેલી છે. હવે ત્રીજા દ્વારની પ્રરૂપણ કરાય છે. એનાથી આડાર કરનારા પુ૬ લેના જ્ઞાનદર્શનનું નિરૂપણ છે શ્રી ગૌતમરવામ-હે ભગવન! નારક જે પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, શું તે પુદ્ગલેને જાણે છે? દેખે છે? અને ગ્રહણ કરે છે? અથવા નથી જાણતા, નથી દેખતા કેવલ ગ્રહણું જ કરે છે ? શ્રી ભગવાહે ગૌતમ ! નાક આહાર્યમાણ પુદ્ગલેને જાણતા નથી, દેખતા નથી, કેવલ તેમનો આહાર જ કરે છે. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, હીન્દ્રિય તેમજ ત્રીન્દ્રિય પણ જે પુદ્ગલેને આહાર કરે છે, તેમને નથી જાણતા, નથી દેખતા, કેવલ આહાર જ કરે છે, એમનામાંથી નારક અને અસુકુમાર આદિ અવધિથી નથી જાણતા. તેમને માહાર લેવાથી અત્યન્ત સૂક્ષમતાના કારણે નારક ભવનપતિ, અને એકેન્દ્રિયના જ્ઞાનને તે તે વિષય નથી થતું. તેઓ દેખતા પણ નથી, કેમકે તે દર્શનને પણ વિષય બનતું નથી. ઢીદ્રિય અજ્ઞાની હોવાના કારણે સમ્યફ જ્ઞાનથી, રહિત હોય છે. તેથી જ તેઓ પણ નથી જાણતા. તેમનું મત્યજ્ઞાન એટલું અસ્પષ્ટ હોય છે કે સ્વયં જે પ્રક્ષેપાહાર ગ્રહણ કરે છે, તેમને પણ તેઓ નથી જાણતા, ચક્ષુ રેન્દ્રિયનો અભાવ હોવાથી તેઓ તેને દેખી પણ નથી શકતા એ જ પ્રકારે ત્રીન્દ્રિય પણ જ્ઞાન અને દર્શનથી રહિત સમજી લેવાં જોઈએ. શ્રી ગૌતમસ્વામી ભગવન્! ચતુરિન્દ્રય જીવ શું આહાર્યમાણ પુદ્ગલેને જાણેદેખે અને આહાર કરે છે ? અગર નથી જાણના, નથી દેતા, કેવળ બાહાર કરે છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! કેઈ ચતુરિન્દ્રિય આહાર્યમાણ પુદગલેને નથી જાણતા, પણ દેખે છે, કે કે ચક્ષુ ઈન્દ્રિય તેમને હોય છે, અને આહાર કરે છે. કેઈ ચતુરિન્દ્રિય જાણતા નથી કેમકે તે મિથ્યાજ્ઞાની હોય છે, અને નથી દેખતા, કેમકે અંધકારનો કારણે તેમના નેત્રે કામ નથી કરતાં, તેઓ કેવલ આહાર કરે છે આંહી “અસ્તિ” શબ્દ અવ્યય છે તેથી જ બહુવચનમાં પણ “અસ્તિ” રૂપ જ રહે છે. - હવે પંચેન્દ્રિય જીવન પ્રક્ષેપાહાર અને માહારને લઈને ચૌભંગી કહેવાને માટે કહ્યું છે– શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૧૦
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy