SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય પદમાં પણ ત્રણ ભંગ કહેવા જોઈએ, કેમકે મનુષ્યથી સૂમસં૫રાયગુણસ્થાન પણ સંભવે છે. આજ અભિપ્રાયને વ્યક્ત કરવાને માટે કહ્યું છે-નારકના વિષયમાં જે કથન કરેલું છે, તેજ અસુરકુમાર, આદિ ભવનપતિ, પૃવિ કાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, પંચેન્દ્રિય તિર્ય, વાત્રા , જતિક અને વૈમાનિકના વિષયમાં પણ સમજવું જોઈએ. આ બધાં જ્ઞાનાવરણીયને બાંધતા સાત અગર આઠ કર્મપ્રકૃતિને બન્ધ કરે છે. કિન્તુ મનુષ્યનું કથન સામાન્ય જીવની સમાન સમજવું જોઈએ. અર્થાત્ મનુષ્યના દંડ. કમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. એ પ્રકારે એકત્વની વિવક્ષાથી વીસે દંડકનું પ્રતિપાદન કરીને હવે બહત્વની વિવેક્ષાથી તેમનું પ્રતિપાદન કરતાં કહે છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! (ઘણા) જીવ જ્ઞાનાવરણીયડમને બન્ધ કરતાં છતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે એવો પ્રશ્ન શ્રીભગવાન–હે ગૌતમ ! બધા જીવ આયુકમને બન્ધના અભાવમાં સાત પ્રકૃતિના બન્યક બને છે અને આયુકર્મના બન્ધના સમયે આઠના બંધક બને છે. આવા જીવ સદેવ બડુપણાથી હોય છે. (આ પ્રથમ ભંગ ૧) અથવા સમુચ્ચય જીવ જ્ઞાનાવરણકર્મને બાંવતાં છતાં ઘણા સાતના બંધક હોય છે. ઘણા આઠના બધક હિાય છે અને કોઈ એક છને બન્ધક હોય છે. ( આ બીજો ભંગ ૨) અથવા ઘણા સાતને બંધક, ઘણું આઠના બન્ધક અને ઘણાં છના બંધક હોય છે (આ ત્રીજો ભંગ ૩) અભિપ્રાય એ છે કે સાતના બન્ધક અને આઠના બન્ધક સદૈવ બહુ સંખ્યામાં મળી આવે છે, કિન્તુ છના બન્ધક કે ઈ સમયે મળે છે અને કેાઈ સમયમાં નથી પણ મળતા, કેમકે તેમને ઉત્કૃષ્ટ કાલ આઠ મહિનાને કહેલ છે. જ્યારે ષડ્રવિધ મળે છે ત્યારે પણ જઘન્ય એક અગર છે અને ઉત્કૃષ્ટ એકસો આઠ. એ પ્રકારે જ્યારે એક કે બે પણ બહુવિધ બન્ધક નથી મળી આવતા ત્યારે પ્રથમ ભંગ થાય છે. જ્યારે એક મળે છે તે દ્વિતીય ભંગ થાય છે અને જ્યારે ઘણા ષવિધ બંધક મળી આવે છે, ત્યારે ત્રીજો ભંગ થાય છે. - શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! નારક જીવ જ્ઞાનાવરણીય કર્મપ્રકૃતિને બાંધતાં છતાં કેટલી પ્રકૃતિ બાંધે છે? - શ્રીભગવાન-હે ગૌતમ! જ્ઞાનાવરણને બાંધતાં એવા બધા નારક સાત પ્રકૃતિનાં બંધક બને છે (પ્રથમ ભંગ) અથવા ઘણા બધા નારક સાતના અને એક કેઈ આઠને બંધક બને છે. (દ્વિતીય ભંગ) અથવા ઘણા બધા નારક સાતના બંધક અને ઘણા આઠના બન્ધક થાય છે (તૃતીય ભંગ) એ પ્રકારે નારક જીવ છના બંધક નથી થતા. આઠના બન્ધક પણ કોઈ કોઈ વાર થાય છે. જ્યારે એક પણ નારક આઠ પ્રકૃતિને નથી બાંધતો, ત્યારે બધા સાતના બંધક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૭૩
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy