SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ કર્મરૂપતા–અવસ્થાનરૂપ સ્થિતિ છે. પરંતુ તેના બંધ કાળથી લઈને બારસો વર્ષો સુધી તે જીવને કોઈ બાધા પહોંચાડતું નથી કારણ કે તે સમયમાં તેનાં દળિયાને નિક થતું નથી. આથી અબાધા કાળ બાદ ર્યા પછી જે બાકીની સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ છે અર્થાત્ અનુભવયેગ્ય સ્થિતિનો કાળ છે. - નરાચ સંહનન નામકર્મની સ્થિતિ જઘન્યથી સાગરોપમના સાત પાંત્રીસાંશ , ભાગમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી છે. કારણ કે ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ કોડાકોડી સાગરોમની છે. આથી પૂર્વોક્ત પ્રકારે ચૌદને અર્ધા કરવાથી સાત અને સિત્તેરને અર્ધા કરવાથી પાંત્રીસ થાય છે. આ પ્રમાણે મેળવાય છે. નારીચ સંહનની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ કડાકોડી સાગરોપમની છે. તેને ચૌદ વર્ષને અખાધાકાળ છે. અર્થાત્ બંધસમયથી લઈને ચૌદસે વર્ષ સુધી જીવને કઈ હરકત તે કર્મ પહોંચાડી શકતું નથી. કારણ કે આ સમયમાં કર્મનાં દળિયાને નિષેક થતા નશી. આથી અબાધાકાળ બાદ કરવાથી ચૌદ સાગરોપમમાં ચૌદસે વર્ષ એ છો એટલો સમય રહે છે. આ તેને નિષેક કાળ છે યા અનુભવયોગ્ય સ્થિતિને કાળ છે. અર્ધનારાચસંહનન નામકર્મની જઘન્ય સ્થિતિ એક સાગરોપમના ૬ ભાગમાંથી પપમને અસંખ્યાત ભાગ ઓછી એટલી છે. કારણકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સેળ કડાકોડી સાગરેપની છે, આથી પૂર્વોક્ત રીતે ગણતાં તેનું ઉક્ત પ્રમાણ આવે છે તેમ સમજી લેવું જોઈએ અર્ધનારાચસંહનન નામકર્મની કમરૂપતા-અવસ્થાનરૂપ સ્થિતિ સેલ કડાકડી સાગરોપમની છે. પરંતુ સોલસો વર્ષને તેને અબાધાકાળ છે, અર્થાત્ બંધ સમયથી માંડીને આ કર્મ સેલસે વર્ષ સુધી જીવને કેઈ બાધા પહોંચાડતું નથી, કારણ કે આટલા સમય સુધીમાં કર્મનાં દળિયાંને નિષેક થતું નથી. આ સમય પૂરો થયા પછીથી જ દળિયાંને નિષેક થાય છે, આથી અબાધાકાળ બાદ કર્યા પછી જે બાકીને સ્થિતિકાળ રહે છે તે તેને અનુભવયેગ્ય સમય અથવા નિષેકને કાળ છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! કીલિકા સંહનન નામકર્મની સ્થિતિ કેટલા સમયની કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! કીલિકા સંહનન નામકર્મની જઘન્ય સ્થિતિ પામને અસંખ્યાત ભાગ ઓછી એવા સાગરોપમના નવ પાંત્રીસાંશ કુંજ ભાગ જેટલી કહેવામાં આવી છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમ હાવાથી પૂર્વોક્ત રીતે આ પ્રમાણ મેળવાય છે. કલિકાસંહનન નામકર્મની ઉત્કૃષ્ટ કર્મરૂપતાઅવસ્થાન રૂપ સ્થિતિ અઢાર કલાકેડી સાગરોપમની કહી છે. તેને અઢારસો વર્ષને અબાધાકાળ છે. અર્થાત્ બંધસમયથી માંડી અઢાર વર્ષ સુધી તે ઉદય દ્વારા જીવને કેઈ બાધા પહોંચાતું નથી, કારણ કે આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૨૪
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy