SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અને કાતિલેશ્યાવાળા પૃથ્વી કાયિકના વિષયમાં પણ સમજવી જોઈએ. અર્થાત્ નીલેશ્યાવાળા પૃથ્વીકાયિક કોઈવાર નલલેશ્યાવાળા થઈને ઉદ્વર્તન કરે છે, કેઈવાર કૃષ્ણલેશ્યા, અથવા કાતિલેશ્યાવાળા થઈને ઉદ્વર્તન કરે છે. એ જ પ્રકારે કાતિલેશ્યામાં ઉત્પન્ન થયેલ પ્રથ્વીકાયિક કેઈ વાર કાતિલેશ્યામાં ઉદ્વર્તન કરે છે, કોઈવાર કૃષ્ણલેશ્યામાં કઈવાર નીલેશ્યામ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્શું તેલેશ્યાવાળા પૃથ્વીકાયિક તેજલેશ્યાવાળા પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે ? અને શું તેજલેશ્યાવાળાથી યુક્ત થઈને પૃથ્વીકાચિકેથી ઉદૂવૃત્ત થાય? શ્રી ભગવાન હે ગૌતમ ! હા, તેજેશ્યાવાળા પૃથ્વીકાયિક તેજલેશ્યાવાળા પૃથ્વી કાયિકોમાં ઉત્પન્ન થાય છે, પરંતુ કેઈવાર કૃષ્ણલેશ્યાથી યુક્ત બનીને ઉદ્વર્તન કરે છે, કે વાર નીલલેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે છે અને કેઈવાર કાતિલેશ્યાથી યુક્ત બનીને ઉદવર્તન કરે છે. તેજલેશ્યાથી યુક્ત થઈને તે પૃથ્વીકાયિક ઉત્પનન થાય છે પણ તેને લેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન નથી કરતા કહ્યું પણ છે અન્તર્મુહૂર્ત આયુ વીતી જતાં અને અન્તમુહૂર્ત શેષ રહેતાં પરિણત લેશ્યાઓથી જીવ પરલોક ગમન કરે છે. તે આ વચનના પ્રમાણથી કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, પણ કેઈવાર કૃષ્ણલેશ્યાવાળા બનીને ઉવૃત્ત થાય છે, કેઈવાર નીલેશ્યાથી યુક્ત થઈને ઉદ્દવૃત્ત થાય છે. કેઈ વાર કાતિલેશ્યાથી યુક્ત થઈને ઉદુવૃત થાય છે. પણ જ્યારે અવનવાસી વનવ્યન્તર, તિષ્ક અથવા સૌધર્મ ઈશાન કલ્પના દેવ તેજલેશ્યાથી યુક્ત થઈને પિતાના ભવને ત્યાગ કરીને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે કેટલાક કાળ સુધી અપર્યાપ્ત અવસ્થામાં તેમનામાં તેલેશ્યા પણ મળી આવે છે, તેના પછી તેનેશ્યા નથી રહેતી. કેમકે પૃકાયિક જીવ પિતાના ભવના સ્વભાવથી જ તેજલેને યોગ્ય, ને શ્રવણ કરવામાં અસમર્થ બને છે. એ અભિપ્રાયથી કહ્યું છે કે તેઓલેશ્યાથી યુક્ત થઈને પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે, પણ તેજલેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન નથી કરતા. જે પ્રકારે પૃથ્વીકાયિકેની કુષ્ણ, નીલ, કાપિત તેમજ તેજલેશ્યા સમ્બન્ધી ચાર વક્તવ્યતાઓ કહી છે, એ જ પ્રકાર અપ્રકાયિક, અને વનસ્પતિકાયિકમાં પણ ચાર વક્તવ્યતાઓ કહી દેવી જોઈએ. કેમકે અપર્યાપ્ત અવસ્થામાં તેમનામાં પણ તેજલેશ્યા મળી આવે છે, એ અભિપ્રાયને લઈને કહ્યું છે–પૃથ્વીકાચિકેના સમાન અપ્રકાયિક તેમજ વનસ્પતિકાયિકેનું પણ કથન સમજવું જોઈએ. તેજસ્કાયિક અને વાયુકાયિકની વક્તવ્યતા પણ એજ પ્રકારે છે. પણ વિશેષતા એ છે કે, તેજસકાયિક અને વાયુકાયિકામાં તેજલેશ્યા નથી હોતી, કેમકે તેમનું કહેવું અસંભવિત છે. દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય નું કથન પણ એજ રીતે સમજવું જોઈએ. અને કૃષ્ણ, નીલ તથા કાતિલેશ્યાઓમાં જાણવું જોઈએ. પરચેન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy