SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ માયી મિથ્યાદડિટ ઉપપન્ન છે (તેલં બ ળાત્તરા) તેઓ અલ્પતર વેદનાવાળા છે (તરથળે તે માર્કસમ્મલ્ટિી વવવત્ત તેf મgવેચાતા ) તેઓમાં જે અમારી સમ્યદૃષ્ટિ છે તેઓ મહાદનાવાળા છે. તેણે તેનQળ જોવા ! gવં ગુરૂ-માળિયા નો સર્વે સમવેચTI) એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે વૈમાનિક બધા સમાન વેદના વાળા નથી (સં તક) શેષ પૂર્વોક્ત રીતે સમજવું. ટીકાર્થ– હવે તે નિરૂપણ કરે છે કે વાનવ્યન્તર દેવ આદિના સમાહાર આદિનું કથન અસુરકુમારોના સમાન સમજી લેવું જોઈએ-વનવ્યતની સમાન આહાર આદિની વક્ત વ્યતા એજ પ્રકારે કહેવી જોઈએ જેવી અસુરકુમારોની કહી છે. અર્થાત જેવા અસુરકુમારના બે પ્રકાર કહ્યા છે–સંજ્ઞિભૂત અને અસંફિભૂત, અને તેમાં જે સંજ્ઞિભૂત છે તેઓ મહાવેદનાવાળા તથા જેઓ અસંજ્ઞિભૂત છે તેએ અપવેદનાવાળા હોય છે, ઈત્યાદિ કથન કરાયેલું છે. એ જ પ્રકારે વનવ્યન્તરના વિષયમાં પણ જાણવું જોઈએ. કેમકે અસુરકુમારેમાં તથા વાનવ્યન્તરમાં અસંગ્નિ જીવોની ઉત્પત્તિ થાય છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં પણ કહ્યું છે. અસંગ્નિ જીવની ઉત્પત્તિ દેવગતિમાં થાય તે જઘન્ય ભવનપતિમાં અને ઉત્કૃષ્ટ વાનäતરોમાં થાય છે. એ કારણે અસુરકુમારના વિષયમાં જે યુકિત કહી છે તે જ અહીં પણ જાણી લેવી જોઈએ. અસુરકુમાર દેવોના પ્રકરણમાં જે કથન કરાયું છે તે જ તિષ્કદે અને વૈમાનિકોના સમાન આહાર આદિના વિષયમાં કહી લેવું જોઈએ. પરન્તુ અસુરકુમારથી જ્યોતિષ્ક અને વૈમાનિકની વેદનામાં થોડું અન્તર છે, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ બે પ્રકારના છે, જેમકે, મારી મિથ્યાદિ ઉત્પન્ન અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન, જેમ અસુરકુમારામાં કેઈ અસંજ્ઞીમૂન અને કેઈ સંજ્ઞીભૂત કહેલ છે, તેમજ તેમની જગ્યાએ જતિષ્ક અને વિમાનિકમાં માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્ન અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન કહી દેવા જોઈએ. કેમકે તિષ્ક નિકાય અને વૈમાનિક નિકાયમાં અસંજ્ઞી જીવ ઉત્પન્ન નથી થતા. અસં. જ્ઞીની આયુ ઉત્કૃષ્ટ પપમનાં અસંખ્યાતમા ભાગની હોય છે, જ્યારે તિષ્કની પલ્યોપમના સંખ્યાતમા ભાગની જઘન્ય સ્થિતિ હોય છે અને વૈમાનિ ની પપમની. તેથીજ તેઓમાં અસંજ્ઞીઓનું હોવું સંભવિત નથી. માયી-મિથ્યા દષ્ટિ–ઉત્પન અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્નમાંથી જે જ્યોતિષ્ક અને વૈમાનિક માથી–મિથ્યાદ્રષ્ટિ ઉત્પન્ન છે, તેઓ શુભ વેદનાની અપેક્ષાથી અલ્પતર વિદનાવાળા હોય છે. અને જે અમાથી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થાય છે, તેઓ શુભ વેદનાની અપેક્ષાએ મહાત્ વેદનાવાળા હોય છે. - હવે ઉપસંહાર કરતા થકા કહે છે- હે ગૌતમ! એ કારણથી એવું કહેવાય છે કે બધા તિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા હોતા નથી. શેષ આહાર, વર્ણ, કર્મ આદિ અસુરકુમારે અને વ્યાનવ્યક્તોની સમાન જ સમજી લેવું જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ 20
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy