SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (તત્ય ને તે મિચ્છાદિ ને સમાછિદિલ્લી) તેઓમાં જે મિથ્યાદષ્ટિ છે અને જે સમ્યફમિથ્યાષ્ટિ છે (તેાિં નિફો વંજ વિચિત્ર વંતિ) તેમનામાં નિયત રૂપથી પાંચ ક્રિયાઓ થાય છે (i =ા-આમિયા, પરિમાહિ, માયાવત્તિ, પૂજન જિરિયા, બિછાળત્તિ) તેઓ આ પ્રકારે–આરંભિકી, પારિગ્રાહિકી, માયાપ્રયા, અપ્રત્યાખ્યાન કિયા, મિથ્યાદર્શન પ્રત્યયા ( T€T ને ચાળ) શેષ નારકેની સમાન ટીકર્થ-હવે મનુષ્યના સમાહાર આદિની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! શું બધા મનુષ્ય સમાન આહારવાળા છે? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત એવી વાત છે નહીં. શ્રી ગૌતમ-હે ભગવાન્ શા કારણથી એમ કહેવાય છે કે બધા મનુષ્ય સમાન અહારવાળા નથી ? શ્રી ભગવાન-૨ ગૌતમ! મનુષ્ય બે પ્રકારના કહ્યા છે, જેમકે મહાશરીરી અને અલ૫ શરીર અર્થાત્ વિશાળ કાયાવાળા અને નાની કાયાવાળા, આ બન્નેમાંથી જે માણસ મહા શરીર હોય છે, તેઓ ઘણુ બધા પુદ્ગલેને આહાર કરે છે, ઘણા બધા પુદ્ગલેને પરિણત કરે છે, ઘણુ બધા પુદુ પુદ્ગલને ઉપવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને ઘણા બધા પુદ્ગલેને નિઃશ્વાસના રૂપમાં ત્યાગે છે. પરંતુ દેવ કુરૂ આદિમાં યુગલિક મહા શરીર મનુષ્ય કદાચિત્ કવલાહાર કરે છે. કહ્યું પણ છે કે, તેમને આહાર અષ્ટમભક્તથી થાય છે, અર્થાત્ વચમાં–વચમાં ત્રણ ત્રણ દિવસ છોડીને તેઓ આહાર કરે છે. તેઓ ક્યારેક ક્યારેક જ ઉચ્છવાસ અને નિ:શ્વાસ લે છેકેમકે તેઓ બીજા માણસની અપેક્ષાએ અત્યન્ત સુખી હોય છે, એ કારણે ક્યારેક કયારેક જ તેમને ઉચ્છવાસ નિઃશ્વાસ થવા સંભવિત છે. તે મહાશરીર અને અ૫ શરીર માણસોમાં જે અ૫ શરીર માણસે છે તેઓ અલ્પતર પુદ્ગલેને આહાર કરે છે, યાવત્ અલ્પતર પુદ્ગલેને પરિણત કરે છે, અલપતર દૂગલેને ઉચ્છવાસ-નિશ્વાસ લે છે અને સદા આહાર કરે છે યાવત્ સદેવ તેમને પરિણત કરતા રહે છે. સંદેવ ઉચ્છવાસ લે છે, અને સંદેવ નિઃશ્વાસ ત્યાગતા રહે છે. કેમકે શિશુ અ૫ શરીરવાળા હોય છે તે તેઓ વારંવાર થોડો થોડો આહાર લેતા રહેતા જોવામાં આવે છે તેથી અ૯૫ શરીર સંમૂર્ણિમ મનુષ્યમાં સતત આહાર લે સંભવિત છે. ઉવાસ નિઃશ્વાસ પણ અ૯૫ શરીરમાં નિરતર જોવામાં આવે છે, અતએ તે પણ સુસંભવિત છે, કેમકે તેમાં પ્રાયઃ દુઃખની વિશેષતા હોય છે. હવે ઉપસંહાર કરતા કહે છે-હે ગૌતમ ! એ કારણથી એમ કહેવાય છે કે બધા મનુષ્ય સમાન આહારવાળા નથી. શેષ, કર્મ, વણે આદિનું કથન એજ પ્રકારે સમજી લેવું જોઈએ, જેવું નારકોના વિષયમાં કરાયેલું છે. પરન્તુ નારકોની અપેક્ષાએ ક્રિયાઓમાં કિંચિત્ વિશેષતા છે, તે આ પ્રકારે છે–મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે, જેમકે સમ્યફષ્ટિ મિથ્યાષ્ટિ અને સભ્ય. મિથ્યા દ્રષ્ટિ અર્થાત મિશ્રષ્ટિ, આ ત્રણે પ્રકારના મનુષ્યમાં જે મનુષ્ય સમ્યગ્દષ્ટિ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૮
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy