SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્થાનની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ક્રિયશરીર કેવા આકારનાં છે? શ્રી ભગવાન ગૌતમ ! વૅક્રિયશરીર વિભિન્ન આકારને કહેલાં છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્વાયુકાયિક એકેન્દ્રિયના ક્રિયશરીર કેવા આકારના કહ્યાં છે? શ્રી ભગવાન - ગૌતમ! વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર પતાકાના આકારના કહ્યાં છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક પદ્રિના ક્રિયશરીર કેવા આકારના કહ્યાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારક પંચેન્દ્રિયેના વૈક્રિયશરીર બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રકારે છે–ભવધારણીય અને ઉત્તરક્રિય તેમાં જે ભવધારણીય વક્રિયશરીર છે, તે હુંડ સંસ્થાનવાળાં હોય છે. અર્થાત બટેર નામના પક્ષીઓના જેવા આકારના હોય છે. ઉત્તરવિક્રિયશરીર છે, તે પણ હુંડસંસ્થાનવાળાં જ હોય છે, એ પ્રકારે નારકોના ભવધારણીય અને ઉત્તરકિયશરીર અતીવ કિલષ્ટ કર્મના ઉદયથી હુંડક સંસ્થાનવાળાં જ હોય છે. તેમના ભવધારણીય શરીર ભવના સ્વભાવથી જ જેની સમસ્ત પાંખ ઉખડી ગઈ હોય અને ગળા વિગેરેના વાળ પણ ઉખાડી નાખેલા હોય એવા પક્ષીના આકારના સરખા અત્યન્ત બીભત્સ ફંડક સંસ્થાનવાળાં હોય છે. તેમના ઉત્તરક્રિયશારીરને આકાર પણ હુંડક જ હોય છે. તે શુભ કરવાનો વિચાર રાખે છે, તે પણ અત્યન્ત અશુભ નામ કર્મના ઉદયના કારણે તેમનાં શરીર અશુભ તરજ બને છે. શ્રી ગૌતમસ્વામી ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિયના વેકિયશરીરના સંસ્થાન કેવાં હોય છે? શ્રી વાગવાન–હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નારકેના શરીર બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે છે-ભવધારણીય અને ઉત્તરક્રિય, તેમાં જે ભવધારણીય શરીર છે, તે હંડક સંસ્થ નવાળાં હોય છે અને જે ઉત્તરક્રિયશરીર છે તે પણ હુંડક સંસ્થાનવાળાં જ હોય છે. એનું કારણ પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવું જોઈએ - જે પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના નારકનાં વેકિયશરીર કહ્યાં, એ જ પ્રકારે શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમઃ પભા પૃથ્વીના નારકના વેકિયશરીર પણ સમજી લેવા જોઈએ, અર્થાત્ આ બધી પૃથ્વીના નારકેના બન્ને પ્રકારના વિઝિયશરીર હંડ સંસ્થાનવાળાં જ હોય છે. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! તિર્યંચ પંચેન્દ્રિયના વકિયશરીર ક્યા સંસ્થાનવાળાં હોય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૪૫.
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy