SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દિના પર્યાપ્ત સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચના તથા અપર્યાપ્ત સંમૂર્ણિમ પંચેન્દ્રિયાના શરીર હંડસંસ્થાનવાળાં જ સમજવાં જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ગર્ભજ તિર્યંચેનિક પંચેન્દ્રિય તિર્યંચોના દારિકશરીર એ પ્રકારના સંસ્થાનેવાળાં કહેલાં છે. તે સંસ્થાનો આમ છે–સમચતુરસ્ત્ર યાવત હંડસંસ્થાન. અર્થાત્ સમચતુરસ, ન્યોધપરિમંડલ, સાદિ, વામન, કુજ અને હૂંડસંસ્થાન એજ પ્રકારે અર્થાત સમુચ્ચય ગર્ભજ તિર્યંગ્યનિક પંચદ્ધિના સમાન પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ તિયનિક પંચેન્દ્રિયેના ઔદારિકશરીર પણ છેએ સંસ્થાનવાળા હોય છે. અહીં પણ સામાન્ય, પર્યાપ્ત અને અપર્યાપ્ત ગર્ભજ તિર્યનિક પંચેન્દ્રિના શરીર છએ સંસ્થાનવાળાં સમજી લેવાં જોઈએ. આ પ્રકારે પૂર્વોક્ત નવ આલાપક ઔધિક તિર્યનિકોના હોય છે. ભાવ એ છે કે, ત્રણ પંચેન્દ્રિય સમુચ્ચય તિનિકે, પર્યાપ્ત તથા અપર્યાપ્તના ત્રણ સંમૂઈિમ પંચેન્દ્રિયતિયચોનિક, પર્યાપ્ત તથા અપર્યાપ્તના, ત્રણ ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચના, પર્યાપ્તકે તથા અપર્યાપ્તકના આલાપક મેળવવાથી બધા મળીને નવ આલાપક થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જલચર પંચેન્દ્રિય તિયાને ઔદારિક શરીર કયા સંસ્થાનવાળા હોય છે? શ્રીભગવાન-હે ગૌતમ ! જળચર પંચેન્દ્રિય તિર્યંચાના ઔદારિક શરીર છએ સંસ્થાનેવાળાં હોય છે. તે છ સંસ્થાન આ પ્રકારે છે-સમચતુરઋસંસ્થાન, ન્યધ પરિમંડલસંસ્થાન, સાદિ સંસ્થાન, કુકસંસ્થાન, વામન સંસ્થાન અને હૂંડસંસ્થાન એજ પ્રકારે પર્યાપ્ત તથા અપર્યાપ્ત જલચર પચન્દ્રિયતિયાના ઔદારિક શરીર પણ એ સંસ્થાનવાળા હોય છે. સંમૂઈિમ જલચર પછી તે પર્યાપ્ત હોય અગર અપર્યાપ્ત હેંડસંસ્થાન શરીરવાળાં હોય છે, અર્થાત્ તેમના શરીરના સંસ્થાન હંડ હોય છે. ગર્ભજ જલચરોના શરીર છએ સંસ્થાનોવાળાં હોય છે. તેમના પર્યાપ્ત અને અપર્યાપ્તના શરીર પણ છએ સંસ્થાનેવાળાં હોય છે. એ પ્રકારે સામાન્ય ગર્ભ જ જલચર, પર્યાપ્ત ગર્ભજ જલચર અને અપર્યાપ્ત ગર્ભજ જલચરો-ત્રણનાં શરીર છએ સંસ્થાનવાળાં સમજવાં જોઈએ. એ પ્રકારે સામાન્ય જલચરાના, તેમના પર્યાપ્તના, અપર્યાપ્તના એમ ત્રણમાંથી પ્રત્યેકના છ-છ પ્રકારના આલાપક, સંમૂર્ણિમ જલચર, પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર, અપર્યાપ્ત સંમૂર્ણિમ જલચર, એમ ત્રણમાંથી પ્રત્યેકના છ-છ આલાપક થાય છે. ગર્ભજ જલચર, પર્યાપ્ત ગર્ભજ જલચર, અપર્યાપ્ત ગર્ભજ જલચર, આમ ત્રણમાંથી પ્રત્યેકના છ પ્રકારના આલાપક, એ પ્રકારે નવના દારિકશરીર એમ ૩૯ ઓગણચાલીસ પ્રકારના સંસ્થાનવાળા થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૧
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy