SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આયુવાળા અને સમાન ઉત્પત્તિવાળા નથી હોતા ટીકાથ-હવે નરયિકની સમાન ક્રિયા આદિની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્ ! શું બધાં નારકો સમાન ક્રિયાવાળા હોય છે? શ્રી ભગવાન આ અર્થ સમર્થ નથી, અર્થાત્ બધા નારક સમાન કિયાવાળા હોય એવી વાત નથી. ( શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! શા કારણે એમ કહેવાય છે કે બધા નરક સમાન કિયાવાળા નથી ? શ્રી ભગવાન –હે ગૌતમ! નારક જીવ ત્રણ પ્રકારના કહ્યા હોય છે (1) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યાદ્રષ્ટિ અને (૩) સમ્યમ્મિગ્ગાદષ્ટિ આ ત્રણ પ્રકારના નારકમાં જે સમ્યગ્દષ્ટિ નારક છે તેમને ચાર ક્રિયા થાય છે તે ચારક્રિયાઓ આ રીતે છે-(૧) આરંભિક (૨) પારિગ્રાહિલી (૩) માયાપ્રત્યયા અને (૪) અપ્રત્યાખ્યાનક્રિયા. જીવ હિંસાકારી વ્યાપાર, આરંભ કહેવાય છે. આરંભથી થનારી કિયા તે આરંભિકી ક્રિયા કહેવાય છે. ધર્મના સાધનાથી ભિન્ન પદાર્થોને સ્વીકારવા અને ધર્મેના સાધનોમાં મૂચ્છ રાખવી તે પરિગ્રહ છે. તેના નિમિત્તે થનારી પરિગ્રહિક ક્રિયા છે. માયા અર્થાત કપટ આદિના કારણે થનારી કિયા માયાપ્રત્યયા ક્રિયા છે. એ જ પ્રકારે અપ્રત્યાખ્યાનથી અર્થાત્ અવિરતિ–આસક્તિઅગર અનાસક્તિના અભાવથી કરાતી ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા છે. પૂર્વોકત ત્રણ પ્રકારના નારકમાંથી જે નારક મિથ્યાષ્ટિ છે તથા જે મિશ્રદૃષ્ટિ (સમ્યમિથ્યા દ્રષ્ટિ) છે તેમને નિશ્ચિત રૂપથી પાંચ ક્રિયાઓ થાય છે. તે પાંચ ક્રિયાઓ આ છે-(૧) આરંભિકી (૨) પારિગ્રહિકી (૩) માયાપ્રત્યયા (૪) અપ્રત્યાખ્યાનકિયા અને (૫) મિથ્યાદર્શન પ્રત્યયા. તેમાંથી ચાર ક્રિયાઓના અર્થ પહેલા કહી દિધેલ છે. મિથ્યાદર્શન અપ પ્રત્યય અર્થાત્ કારણથી થનારી ક્રિયા મિથ્યાદર્શન પ્રત્યયા કહેવાય છે. યાપિ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ કર્મબન્ધનના કારણ છે, એ પ્રસિદ્ધ જ છે, તે પણ અહીં આરંભ અને પરિગ્રહ પોથી યોગનું ગ્રહણ કરાયું છે અને વેગ આરંભ પરિગ્રહરૂપ હોય છે, તેથી કોઈ દેષ નથી સમજવાને. હવે ઉપસંહાર કરે છે–હે ગૌતમ ! એ હેતુથી એવું કહેવું છે કે બધા નારક સમાન ક્રિયાવાળા નથી હોતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શું બધા નારક સમાન આયુવાળા છે? શ્રી ભગવાન્ હે ગતમઆ અર્થ સમર્થ નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણથી એવું કહેવાય છે કે બધા નારક સમાન આયુવાળા નથી? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy