SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પણ (ઢિોળે વળગાઇનti soળેલું અવળવાણીયુ, જોસેળ વણિમ વિજ્ઞાસુ) સ્વલિંગી, દર્શનનું વમન કરી દેવાવાળાઓના જઘન્ય ભવનવાસિયમાં ઉત્કૃષ્ટ ઉપરીશૈવેયકમાં. ટીકાઈ- હવે ઉપપાત સંબંધી કાંઈક વિશેષ વક્તવ્યતા પ્રરૂપિત કરાય છે શ્રી ગૌતમસ્વામ-હે ભગવન ! અસંયત ભવ્ય દ્રવ્ય દેવ અર્થાત જે ચારિત્ર પરિ. ણામથી રહિત કિન્તુ દેવ પર્યાયની યોગ્યતાવાળા હેવાને કારણે દ્રવ્ય દેવ છે. અહીં મિથ્યાદષ્ટિનું જ ગ્રહણ કરવું જોઈએ. પછી તે ભવ્ય હોય અથવા અભવ્ય હાય તેઓ શ્રમણ ગુણધારક હય, સકલ સામાચારીનું અનુષ્ઠાન કરનારા દ્રવ્ય લિંગધારી હોય, તેજ અસંયત ભવ્ય દ્રવ્યદેવ અહીં સમજવા જોઈએ. કેવળ સમસ્ત ક્રિયાઓના પ્રભાવથી તેમના ઉપરના વેકેમાં ઉત્પાદ થઈ શકે છે. તેથી જ આગળ કહેવામાં આવનારા ઉપરી શ્રેયકમાં ઉપપાત વિરૂદ્ધ નથી. આ શબ્દથી અસંયત સમ્યગ્દષ્ટિઓનું ગ્રહણ ન કરવું જોઈએ. સમ્યગ્દષ્ટિનું કે જે દેશ વિરત છે, તેમનો પણ ઉપરીચૈવેયકોમાં ઉત્પાદ થો સંભવ નથી. કેમકે દેશવિરત શ્રાવકોના પણ અશ્રુત દેવલોકથી ઉપર ઉત્પાદ નથી થતું. અવિરાધિત સંયમ એ કહેવાય છે, જેમનું ચારિત્ર દીક્ષાકાળથી લઈને ક્યારેય ખલિત ન થયું હોય. સંજવલન કષાયના પ્રભાવથી અથવા પ્રમત્તસંયત ગુણસ્થાનના પ્રભાવથી કિંચિત્ માયા આદિ દોષની સંભાવના હોવા છતાં પણ ચારિત્ર્યનો ઘાત ન કર્યો હોય. વિરાધિત સંયમ તે છે જેઓએ સંયમની સર્વથા–પૂર્ણ વિરાંધના કરી દીધી હોય અને પછી પ્રાયશ્ચિત લઈને તેની શુદ્ધિ પણ ન કરી હેય. જે શ્રાવકોએ દેશવિરતિને અંગીકાર કરવાના સમયથી કયારેય વિરાધિત ન કરેલ હોય, તેઓ અવિરાધિત સંયમસંયમ કહેવાય છે. જેઓએ પિતાના સંયમને અર્થાત દેશવિરતિને ખંડિત ન કરી દિધેલ હોય તેઓ વિરાધિત સંયમસંયમ કહેવાય છે, જેઓ એ પ્રાયશ્ચિત લઈને તેને ફરી શુદ્ધ પણ ન કર્યું હોય.જે મને લબ્ધિથી શૂન્ય છે અને અકામ નિજા કરે છે, તેઓ અસંજ્ઞી કહેવાય છે. તાપસની મતલબ અહીં બાલતપસ્વયથી છે જેમાં ખરી પડેલા પાંદડાને ઉપગ કરે છે. કન્દર્યનો અર્થ છે–પરિહાસ. જેઓ હાંસી મશ્કરીનું આચરણ કરે છે, તેઓ કાન્દપિક કહેવાય છે. તેઓ વ્યવહારથી ચારિત્રવાળા જ અહીં સમજવા જોઈએ. કટક વિગેરેને ચરક કહે છે. કપિલ મુનિના અનુયાયી પરિવ્રાજક કહેવાય છે. અથવા ઘાટીની સાથે જે ભિક્ષાચર્યા કરે છે અને ત્રિદંડકારી હોય છે. તેઓ ને પરિવ્રાજક સમજવા જોઈએ. કિલિબષ અર્થાત્ પાયવાળા જે છે તેઓ કિચ્છિષક છે. અહીં વ્યવહાથી ચારિત્રધારી જ લેવા જોઈએ જે જ્ઞાનાદિને અવર્ણવાદ કરે છે. ગાય, ઘોડા આદિને તિર્યંચ પંચેન્દ્રિય કહે છે. જે અવિવેકપૂર્વ લબ્ધિ, પૂજા, ખ્યાતિ આદિને માટે ચારિત્રનું પાલન કરીને આજીવિકા કરે તેઓ આજીવક અથવા જે ગોશાલકના મતાનુયાયી પાંખડી હોય, તે આજીવક કહેવાય છે. વિદ્યા, મંત્ર, તંત્ર આદિ વડે બીજા ઓનું વશીકરણ કરવું અભિગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૦૧
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy