SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવાન-હે ગૌતમ! ના, તે વિરતાવિરતિ પ્રાપ્ત કરી શકે છે. આશય એ છે કે તમપ્રભા પૃથ્વીને નારક તીર્થંકર થઈ શકે છે, મુક્તિ પ્રાપ્ત નથી કરી શકતા અને સર્વવિરતિ ચારિત્ર જ નથી અંગીકાર કરી શકો તે દેશ વિરતિને પ્રાપ્ત કરી શકે છે. શ્રી ગૌતમસ્વામી–હેભગવદ્ ! સાતમી તમસ્તમઃ પૃથ્વીથી નિકળેલ નારક શું તીર્થ કરત્વને પામે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પરંતુ તે સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. આશય એ છે કે સાતમી પૃથ્વીથી સીધે નિકળેલે નારક નથી તીર્થકર થઈ શકે કે નથી મુક્ત થઈ શકો, નથી સર્વવિરતિ દેશ વિરતિ ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે, અધિકથી અધિક સમ્યકત્વ પ્રાપ્ત કરવામાં સમર્થ બને છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! અસુરકુમાર સંબંધી પૃચ્છા? અર્થાત્ શું અસુરકુમારથી ઉદ્વર્તન કરીને તીર્થકરીત્વ પ્રાપ્ત કરે છે? શ્રી ભગવાન –ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ તીર્થ કરત્વ, પ્રાપ્ત નથી કરી શકતા, પરંતુ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એ રીતે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, દ્વીપકુમાર દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર તથા પૃથ્વીકાયિક અને અપૂકાયિક તથા વનસ્પતિકાકિ પિતાપિતાના ભથી અનન્તર ઉદ્વર્તન કરીને તીર્થકરત્વ પ્રાપ્ત નથી કરી શકતા પરંતુ અન્તક્રિયા કરી શકે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તેજસ્કાયિક તેજસ્કાયિક થી અનન્તર ઉદ્વર્તન કરોને આગામી ભવમાં ઉત્પન્ન થઈને શું તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે? શ્રી ભગવન–હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, કિન્તુ તે તેજસ્કાયિક કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે? એ પ્રકારે વાયુકાયિક પણ વાયુકાથિકેથી અનાર ઉલ્તન કરીને તીર્થકરત્વ નથી પ્રાપ્ત કરી શકતા, પરંતુ કેવલિ દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થાય છે એ પ્રકારે તેજસ્કાયિક અને વાયુકાયિક પિતપિતાના ભવવી અનન્તર ઉદ્વર્તન કરીને અન્તક્રિયા પણ નથી કરતા, કેમકે અનન્તર ભવમાં મનુષ્ય ઉત્પન્ન નથી થતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પિતા પોતાના ભવથી ઉદ્વર્તન કરીને શું ર્તીર્થકર પ્રાપ્ત કરી શકે છે? શ્રી ભગવાન-હે ગૌતમ આ અર્થ સમર્થ નથી. કીન્દ્રિય આદિ પિપેતાના ભવોથી અનન્તર ઉદ્વર્તન કરીને તીર્થકર નથી થઈ શકતા, પરંતુ મનઃ પર્યજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? શ્રી ગૌતમસ્વામ–ભગવન શું પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વનવ્યન્તર અને જતિષ્ક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૫.
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy