________________
શ્રી ભગવાન –હે ગૌતમ ! દ્વીન્દ્રિય જીવ સમ્યગ્દષ્ટિ હોય છે, મિથ્યાદષ્ટિ હોય છે, પણ સમ્યમિથ્યાદષ્ટિ નથી હોતા. ભવસ્વભાવના કારણે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ સમ્યમિથ્ય દષ્ટિ અર્થાત્ મિશ્રષ્ટિ હોય છે. સાસાદન સમ્યકત્વથી યુક્ત જીવ પણ કીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, અને તેને સમ્યગ્દષ્ટિ કહેલ છે. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિોમાં સમદૃષ્ટિને નિષેધ કરેલે છે, કેમકે સાસાદન સમ્યગ્દષ્ટિ પણ એકેન્દ્રિમાં ઉત્પન્ન નથી થતા.
દ્વીન્દ્રિયેની સમાન જ ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિયોમાં પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ જ હોય છે. મિશ્રદષ્ટિ નથી હોતા. એનું કારણ પહેલા કહી દેવાયેલું છે.
પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વાળવાર, જતિષ્ક અને વૈમાનિકદેવ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાદિષ્ટ પણ હોય છે અને સમ્યમિથ્યાષ્ટિ પણ હોય છે. કેમકે ભવના વિશિષ્ટ સ્વભાવના કારણે સંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં જ સમ્યમિથ્યાદ્રષ્ટિ મળે છે. તેથી ચતુરિન્દ્રિય જીવ સુધી સસ્પેમિથ્યાદષ્ટિરૂપ મિશ્રદષ્ટિ ને નિષેધ કરેલ છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! સિદ્ધ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે, મિથ્યાદૃષ્ટિ હોય છે અથવા સમ્પમિથ્યાદષ્ટિ હોય છે.
શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ ! સિદ્ધ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે, મિથ્યાદ્રષ્ટિ નથી હોતા અને સમ્યમિથ્યાષ્ટિ પણ નથી હોતા. સિદ્ધ અવસ્થામાં સમ્યગ્દષ્ટિથી અતિરિક્ત અન્ય કઈ પણ દષ્ટિ થઈ જ નથી શકતી.
સમ્યકત્વ પદ સમાત
અંતક્રિયા પદ કા નિરૂપણ
વિસમું અન્તક્રિયાપદ શબ્દાર્થ – નૈg૪) નારક (બાવિડિય) અન્તક્રિયા-કર્મોને અન્ત કરે (iતાં અનન્તર (ા સમય) એક સમય (વા) ઉદ્વર્ત નિકળેલ (તિથગર) તીર્થકર (હિ) ચક્રવર્તી (વાવ) બળદેવ (વાસુવ) અર્ધ ચક્રવર્તી (બંઢિય) માંડલિકરાજા (થળાય) અને રત્ન ચક્રવર્તીના સેનાપતિ આદિ.
ટીકાથ–ઓગણીસમાં પદમાં સમ્યકત્વ પરિણામની પ્રરૂપણા કરી, હવે પ્રસ્તુત વીસમાં પદમાં પરિણામની સદશતાના કારણે ગતિ પરિણામ રૂપ અન્તકિયાની પ્રરૂપણ કરાય છે
અહીં પ્રારંભમાં દ્વારગાથા કહેલી છે, જેમાં પ્રકૃતિ પદમાં પ્રરૂપણય વિષને ઉલેખ માત્ર કરાયેલ છે. ગાથાને અર્થ આ પ્રકારે છે
સર્વ પ્રથમ નારક આદિ ચોવીસે દંડકોમાં અન્તકિયાની પ્રરૂપણ કરાશે. તત્પશ્ચાત્ એ પ્રરૂપણા કરાશે કે અનન્તરાગત જીવ અન્તક્રિયા કરે છે અથવા પરંપરાગત જીવ અન્તકિયા કરે છે? તદનન્તર એ નિરૂપણ કરાશે કે નારક આદિકમાંથી આવેલ એક સમયમાં કેટલી અન્તકિયા કરે છે? ત્યાંથી ઉદ્વર્તન કરીને કઈ નિમાં ઉત્પન્ન થાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૬૯