SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યાવાળા બની રહે છે. શ્રીભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પપમને અંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ સુધી કાપતલલેશ્યાવાળા નિરન્તર કાપતલેશ્યાથી યુક્ત બની રહે છે. અહી ત્રીજી નરક પૃથ્વીની અપેક્ષાએ ૫૫મના અસંખ્યાતમા ભાગથી અધિક ત્રણ સગરોપમ કહેલ છે, કેમકે ત્રીજી નરક પૃથ્વીના પ્રથમ પાથડમાં એટલી સ્થિતિ છે અને કાપિત લેશ્યા પણ હોય છે. કહ્યું પણ છે (સચાણ મીસિયા) અર્થાત્ ત્રીજી ભૂમિમાં મિશ્ર વેશ્યા હોય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! તેને વેશ્યાવાળા જીવ કેટલા કાળ સુધી નિરન્તર તેને લેશ્યાવાળા બની રહે છે? શ્રીભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તહીં સુધી, ઉત્કૃષ્ટ પપમના અસંખ્યા તમાં ભાગ અધિક બે સાગરોપમ સુધી તેને લેફ્સાવાળે જીવ તેલેથાથી યુક્ત નિરતર રહે છે. અહીં ઈશાન દેવક ની અપેક્ષાબે પલ્યોપમ અસંખ્યાત ભાગ આધક બે સાગરે કમ સમજવા જોઈએ. કેમકે ઈશાન દેવલોકના દેવેની તે જેલેક્ષાની આજ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ગૌતમસ્વામી-હે ભગવન પદ્મ લેશ્યા સખી પૃચ્છા ? અર્ધાતુ પદ્મલેશ્યા વાળ જીવ કેટલા સમય સુધી નિરન્તર પદ્મસ્થાથી યુક્ત બની રહે છે? શ્રીભગવાન હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કટ અન્તમુહૂર્ત અધિક દશ સાગરોપમ સુધી પદ્મવેશ્યાવાળા જીવ નિરન્તર પદ્ વેશ્યાવાળા બની રહે છે. અહીં બ્રહ્નક નામક દેવલોકની અપેક્ષાથી દશ સાગરેપમ સમજવા જોઈએ, કેમકે ત્યાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. પૂર્વભવ અને ઉત્તર ભવ સંબધી બને અન્ત મુહૂર્ત એકજ અન્તમુહૂર્તમાં અતગત થઈ જાય છે, કેમકે અન્તમુહૂર્ત ના અસંખ્યાત ભેદ કહેલા છે. કારણથી અહીં અતર્મુહૂત અધિક કહ્યું છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! શુકલલેશ્યા સંબન્ધી પૃછા ? અર્થાત શુકલેશ્યાવાળા જીવ નિરન્તર શુક્લલેશ્યા વાળા કેટલા કાળ સુધી રહે છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ સુધી શુકલ લેશ્યાવાળા જીવ નિરન્તર શુકલેશ્યાવાળા રહે છે. અહી અનુત્તર વિમાનના દેના દેવની અપેક્ષાથી અન્તર્મુહૂત અધિક તેત્રીસ સાગરોપમનું કાન કરાયેલું છે. તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે અને અન્તર્મહત અધિક પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવદ્ ! અલેશ્ય અર્થાત્ લેગ્યાથી અતીત જીવ. નિરન્તર કેટલા સમય સુધી અલેશ્ય રહે છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! અલેશ્ય જીવ સાદિ અનન્ત હોય છે, કેમકે અગી કેવળી અને સિદ્ધ અલેશ્ય હેય છે અને એકવાર લેશ્યાતીત અવસ્થા પ્રાપ્ત થયા પછી ફરી ક્યારેય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૬
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy