SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જીવની ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ બાવીસ હજાર વર્ષની છે, અકાયિકની સાત હજાર વર્ષની વાયુકાવિકની ત્રણ હજાર વર્ષની તથા વનસ્પતિકાયિકની દશ હજાર વર્ષની ભવસ્થિતિ છે. તેથી જ નિરન્તર કેટલા ભવ કરે તે બધાં મળીને સંખ્યાત હજાર વર્ષ થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! દ્વીન્દ્રિય પર્યાપ્ત જીવ કેટલા વર્ષ સુધી શ્રીન્દ્રિય પર્યાપ્ત નિરન્તર રહે છે? શ્રી ભગવાન-કે ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો સુધી દ્વીન્દ્રિય પર્યાપ્ત જીવ દ્વીન્દ્રિય પર્યાપ્ત બની રહે છે. દ્વાદ્રિય જીવની ભવસ્થિતિને કાળ ઉત્કૃષ્ટ ૧૨ વર્ષને છે, પણ બધા ભમાં ઉત્કૃષ્ટ સ્થિતિ નથી થઈ શક્તી, તેથી જ કેટલાક નિરન્તર પર્યાપ્તભ મેળવીએ પણ સંખ્યાત વર્ષ જ થઈ શકે છે, સેંકડો અથવા હજારો વર્ષ નથી થઈ શકતાં, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ત્રીન્દ્રિય પર્યાપ્ત જીવ ત્રીન્દ્રિય પર્યાપ્તથી યુક્ત કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ-દિન સુધી ત્રીન્દ્રિય પર્યાપ્ત છવ નિરન્તર ત્રીન્દ્રિય પર્યાપ્ત બની રહે છે. ત્રીન્દ્રિય જીવની ભાવસ્થિતિ ઉત્કૃષ્ટ એગણપસાસ દિવસની હોય છે. તેથી જ કેટલાક નિરા૨ પર્યાપ્તકના ભવ કરે તે પણ બધા મળીને તેઓ સંખ્યાત શત્રિ-દિન જ થાય છે. - શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ચારઈન્દ્રિય પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી ચતુરિન્દ્રિય પર્યાપ્ત બની રહે છે? શ્રી ભગવન-ડે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉકૃષ્ટ સંખ્યાત માસ સુધી ચતુરિન્દ્રિય પર્યાપ્ત જીવ ચતુરિન્દ્રિય પર્યાપ્તક પર્યાયથી યુક્ત બની રહે છે. ચતુરિન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ છ મહિનાની હોય છે, તેથી જ અગરતે નિરન્તર કતિષય ચતુરિન્દ્રિય પર્યાપ્તના ભવ કરે તે પણ સંખ્યામાસ જ થાય છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી નિરન્તર પંચેન્દ્રિય પર્યાપ્ત પર્યાયથી યુક્ત રહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્નમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ પૃથકત્વ શત સાગરેપ સુધી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ નિરન્તર પંચેન્દ્રિય પર્યાપ્ત પર્યાયવાળા બની રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ ઈન્દ્રિય અપર્યાપ્ત જીવ કેટલા સમય સુધી સ ઈન્દ્રિય અપર્યાપ્ત પર્યાવમાં રહે છે ? શ્રી ભગવાન -હે ગૌતમ! જઘન્ય પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અત્તમુહૂર્ત સુધી સઈન્દ્રિય અપર્યાપ્ત જીવ સઈન્દ્રિય અપર્યાય પર્યાપ્તમાં રહે છે. અહીં લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્ત સમજવું જોઈએ. બંને રીતે અપર્યાપ્ત અવસ્થા અન્તર્મુહૂર્ત સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૨૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy