________________
એક પ્રકારનું પરિણામ છે અને કાયસ્થિતિ પણ પરિણામ જ છે. તેમાં બધાથી પહેલું તે અને ગાથાઓનું કથન કરાય છે, જેમાં પ્રસ્તુત પદમાં નિરૂપણ કરાતા વિષયોનો સંગ્રહ કરાયેલ છે. | સર્વપ્રથમ “જીવને લઈને કાયસ્થિતિની પ્રરૂપણ કરાશે. (૧) તદનન્તર ગતિની કાયસ્થિતિ કહેવાશે (૨) પછી ઈન્દ્રિય પદને લઈને કાયસ્થિતિ કહેવાશે (૩) તત્પશ્ચાત કાયપદને લઈને કાયસ્થિતિ કહેવાશે (૪) તદનન્તર ગપદને ઉદ્દેશીને કાયસ્થિતિનું કથન કરાશે (૫) પછી વેદના આધાર પર કાયસ્થિતિનું પ્રરૂપણ કરવામાં આવશે (૬) પછી કષાય પદને લઈને કાયસ્થિતિની પ્રરૂપણ થશે. (૭) પછી લેશ્યા પદને લઈને કાયરિથતિ કહીશું (૮) ફરી સમ્યકત્વને લઈને કાયસ્થિતિ કહેવાશે (૯) તત્પશ્ચાત્ જ્ઞાન પદને લઈને કાયસ્થિતિનું નિરૂપણ થશે. (૧૦) તદન તર દર્શન પદને લઈને કાયયિતિનું કથન કરાશે (૧૧) તત્પશ્ચાત્ સંયત પદને લઈને કાયસ્થિતિ કહેવાશે (૧૨) તદનન્તર ઉપગ પદને લઈને કાયસ્થિતિ કહેવાશે (૧૩) તદનન્તર આહાર પદને લઈને કાયસ્થિતિની પ્રરૂપણું કરાશે. (૧૪) ૧
તત્પશ્ચાત્ ભાષક પદને લઈને કાયસ્થિતિનું પ્રરૂપણ કરાશે (૧૫) તત્પશ્ચાત્ પરીત પદને લઇને કાયસ્થિતિ કહેવાશે (૧૬) તત્પશ્ચાત્ પર્યાપ્ત પદને લઈને કાયસ્થિતિનું પ્રરૂપણ કરાશે (૧૭) તદનન્તર સૂમ પદને ઉદ્દેશીને કાયસ્થિતિ કહેશે. (૧૮) પછી સંજ્ઞા પદને લઈને કાયસ્થિતિનું પ્રરૂપણ કરાશે (૧૯) પછી ભવસિદ્ધિ પદને લઇને કાયસ્થિતિનું કથન કરાશે. (૨૦) પછી અસ્તિકાય પરને લઈને કાયસ્થિતિનું પ્રરૂપણું કરાશે (૨૧) તદનન્તર ચરમ પદને લઈને કયરિવતિનું નિરૂપણ કરાશે (૨૨) એ પ્રકારે આ બાવીસ પદેની કાયસ્થિતિ અનુક્રમથી જાણવી જોઈએ.
કાયસ્થિતિ અહીં કાયપદને અર્થ છે-જીવપર્યાય જે કાયા જેવી હોય તે કાયા આસાદથથી કાયપદથી પર્યાયનું ગ્રહણ કરાયેલું છે. પર્યાય બે પ્રકારને હેય છે—સામાન્ય પર્યાય અને વિશેષ પર્યાય, જીવનું જીવત્વ સામાન્ય પર્યાય છે અને નારકતવ આદિ વિશેષ પર્યાય છે. પર્યાય રૂપકાયની સ્થિતિ અર્થાત્ અવસ્થાન અગર રહેવું કાયસ્થિતિ છે. એ પ્રકારે સામાન્ય રૂ૫ અથવા વિશેષ રૂપ પર્યાયના દ્વારા પ્રતિપાદિત જીવના નિરન્તર રૂપથી અર્થાત્ સતત હાવું કાયસ્થિતિ છે એ ફલિત થયું.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧૫.