________________
પર્શના રૂપમાં પરિણત નથી થતી. એજ પ્રકારે કાપોતલેશ્યા, તેજલેશ્યાને પ્રાપ્ત થઈને, તેજેશ્યા પદ્મશ્યાને પ્રાપ્ત થઈને અને પદ્મશ્યા શુકલેશ્યાને પ્રાપ્ત થઈને તેમના જ રૂપમાં પરિણત નથી થતી. આ નિયમમાં યુક્તિ આગળ પ્રમાણે જ સમજી લેવી જોઈએ.
હવે પદ્મશ્યાને લઈને શુકલલેશ્યાની વક્તવ્યતા પ્રારંભ કરે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું શુક્લલેશ્યા, પમલેશ્યાને, પ્રાપ્ત કરીને તેના સ્વરૂપમાં પરિણત નથી થતી? શું તે પદ્મશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી?
શ્રી ભગવાન હે ગૌતમ ! હા, સત્ય છે ઈત્યાદિ પૂર્વોક્ત બધું કથન કહી લેવું જોઈએ, અર્થાત શુકલેશ્યા પદ્મશ્યાને પ્રાપ્ત કરીને તેના વરેપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શા હેતુથી એમ કહેવાય છે કે શુકલેશ્યાને પામીને પદ્મશ્યાના સ્વરૂપમાં તેના વર્ણ, ગંધ, રસ અને સ્પશના રૂપમાં પરિણત નથી થતી.
શ્રી ભગવાન-ગૌતમ! આકારભાવ માત્રથી અથવા પ્રતિભાગ માત્રથી તે શુકલેશ્યા પહૂમલેશ્યા જેવી પ્રતીત થાય છે. વાસ્તવમાં તે તે શુકલલેશ્યા જ છે, પદ્મશ્યા નથી, કેવળ તે શુકલલેશ્યા પોતાના સ્વરૂપમાં કાયમ રહીને પદ્મશ્યાના આકાર ભાવ માત્રને ધારણ કરવાના કારણે અપકર્ષને પ્રાપ્ત થઈ જાય છે. શુકલેશ્યાથી પદ્મલેશ્યા હીન પરિણામવાળી હેય છે, તેથી જ જ્યારે શુકલેશ્યા પદ્દમલેશ્યાની છાયા અથવા પ્રતિબિમ્બને ધારણ કરે છે, ત્યારે કિંચિત્ અવિશુદ્ધ બને છે. એ કારણથી અપકર્ષને પ્રાપ્ત થયાનું કહેવાયેલું છે. એ હેતુથી છે ગૌતમ ! એવું કહેવાય છે કે શુકલેશ્યા પદ્મલેશ્વાના સ્વરૂપને પામીને તેના સ્વરૂપમાં પરિશુત નથી થતી.
એ જ પ્રકારની વક્તવ્યતા તેજલેશ્યા, કાપતા , નીલેશ્યા અને કૃષ્ણલેશ્યાના વિષયમાં પણ સમજી લેવી જોઈએ. પદ્દમલેશ્યાને લઈને તેજ, કાપો, નીલ અને કૃષ્ણલેશ્યા સંબન્ધી વક્તવ્યતા, કાપલેશ્યાને લઈને નીલ, કૃષ્ણલેશ્યા વિષયક વક્તવ્યતા, નીલેશ્યાને લઈને કૃષ્ણલેશ્યા સંબંધી વક્તવ્યતા જાણી લેવી જોઈએ.
શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યાના સત્તરમા વેશ્યાપદને
પાંચમો ઉદ્દેશક સમાસ પા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૦૮