________________
ત્યારે કૃષ્ણલેશ્યાના દ્રવ્ય નીલેશ્યા એ દ્રવ્યના રૂપમાં પરિણત થઈ જાય છે. પરંતુ જેમ દર્પણ વાસ્તવમાં દર્પણ જ છે, જે વસ્તુનું તેની પર પ્રતિબિમ્બ પડયું છે, તે વસ્તુ દર્પણ નથી, એજ પ્રકારે કૃષ્ણલેથા વસ્તુતઃ કૃષ્ણલેશ્યા જ બની રહે છે, માત્ર નલલેશ્યાના દ્રના સમ્પર્ક પામીને નીલેશ્યા જેવી પ્રતીત થાય છે. એ પ્રકારે પ્રતિબિમ્બના અતિરિક્ત અન્ય કોઈ વાસ્તવિક પરિણમન તેમાં થતું નથી. આજ અભિપ્રાયથી કહે છે તે વસ્તુતઃ કૃષ્ણલેશ્યા જ છે, નીલલેશ્યા નથી. કેમકે તેણે પોતાના સ્વરૂપને પરિત્યાગ કર્યો નથી જેમ દર્પણમાં જ પાકુસુમ આદિ ઉપાધિના સાંનિધ્યથી તેના પ્રતિબિંબ માત્રને ધારણ કરવા છતાં તે પણ દર્પણ જ બની રહે છે, જપાકુસુમ આદિ નથી બની જતું, એજ પ્રકારે કૃષ્ણલેશ્યા, નલલેશ્યા નથી બની જતી. કિનતુ કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં સ્થિત રહીને જ નીલેશ્યાના આકાર ભાવને ધારણ કરીને અથવા પ્રતિબિંબ માત્રને ધારણ કરીને કાંઈક વિશુદ્ધ કહેવાય છે. હવે ઉપસંસ્કાર કરે છે-હે ગૌતમ ! એ હિતુથી એમ કહેવાય છે, કે કૃષ્ણલેશ્યા ની લલેશ્યાને પ્રાપ્ત થઈને નીલલેશ્યાના રૂપમાં તે પુનઃ પુનઃ પરિણત નથી થતી. નહીં કે તે નીલલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે જ પરિણમન કરે છે. - શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન ! શું નીલલેશ્યા કાપતલેશ્યાને પ્રાપ્ત થઈને કાપત લેશ્યાના રૂપમાં નહીં યાવત્ પરિણત થાય છે? અર્થાત્ શું નીલલેશ્યા કાપતલેશ્યાના ગંધ, વર્ણ, રસ અને સ્પર્શ રૂપમાં પરિણત નથી થતી?
શ્રી ભગવાન–હા, ગૌતમ ! એવું જ છે. નીલેશ્યા કાપોતલેશ્યાને પ્રાપ્ત થઈને કાપોત લેશ્યાનાં સ્વરૂપમાં, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપમાં પુનઃ પુનઃ પરિણત નથી થતી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શા હેતુથી એમ કહેવાય છે કે નીલલેશ્યા કાપોતલેશ્યાને પ્રાપ્ત કરીને તેના સ્વરૂપમાં અર્થાત્ કાપોતલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી?
શ્રી ભગવાન્ હે ગૌતમ! આકાર ભાવ માત્રથી પરિણત થાય છે, અગર પ્રતિભાગ ભાવ માત્રથી પરિણત થાય છે, વાસ્તવિક રૂપમાં નહીં અર્થાત્ નીલલેશ્યા કાપતલેશ્યાના સંનિધાનથી કાપતલેશ્યાની છાયામાત્રને ધારણ કરી લે છે, અથવા કાતિલેશ્યાનું પ્રતિબિમ્બ માત્ર તેના પર પડે છે. પણ નીલલેશ્યા પોતાના સ્વરૂપને પરિયાગ નથી કરતી. કાપોતલેશ્યાનું પ્રતિબિમ્બ પડવાથી જ નલલેશ્ય વસ્તુતઃ નલલેશ્યા જ બની રહે છે તે બદલાઈને કાપોતલેશ્યા નથી બની જતી. તે પોતાના મૂળ સ્વરૂપમાં કાયમ રહીને કાપોતલેશ્યાના સ્પર્શથી કિંચિત્ વિશુદ્ધ કહેવાય છે. એ હેતુથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે નલલેશ્યા કાપોતલેશ્યાને પ્રાપ્ત થઈને તેના સ્વરૂપમાં, તેના વર્ણ, ગંધ, રસ અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૦૭