SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ એજ પ્રકારે સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં પણ નારકની અતીત, બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિત કહેવી જોઈએ. તેમનામાંથી નારક અસંખ્યાત છે, તેથી ભાર્થી દ્રવ્યેન્દ્રિય પણ અસંખ્યાત સમજી લેવી જોઈએ. જેવી નરીકેની દ્રવ્યેન્દ્રો કહી તેજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિની પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોની વિક્લેન્દ્રિયની પંચેન્દ્રિય તિર્યંચોની દ્રવ્યેન્દ્રિયો નારકપણેથી તે સર્વાર્થસિદ્ધ દેવપણે કહેવી જોઈએ. વિશેષ એ છે કે વનસ્પતિકાયિકોની વિજય, જયન્ત, જયન્ત અને અપરાજિત દેવના રૂપમાં તથા સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે, કેમકે વન સ્પતિકાયિક જવ અનન્ત હોય છે. મનુષ્ય અને સર્વાર્થ સિદ્ધ દેવ સિવાય બધાની સ્વસ્થાનમાં બદ્ધ દ્રવ્યક્ટિ અસંખ્યાત જાણવી જોઈએ. પરસ્થાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હેતી નથી કેમકે, જે જીવ જે ભાવમાં વર્તમાન છે, તે તેનાથી અતિરિક્ત પર ભવમાં વર્તમાન નથી થઈ શકતે. વનસ્પતિકાયિકની બદ્ધ દ્રવ્યેન્દ્રિયે અસંખ્યાત હોય છે, કેમકે વનસ્પતિકાયિ. કેના દારિક શરીર અસંખ્યાત જ હોય છે માણસોની નરયિક પણે અતીત દ્રવ્યેન્દ્રિયો અનન્ત છે. બદ્ધ નથી હોતી. આ વિષયમાં યુક્તિ પહેલાં કહી દિધેલી છે. મનુષ્યોની નારક રૂપમાં અતત દ્રવ્યેન્દ્રિયો અનન્ત છે. જેવી માણસોની નારક રૂપમાં દ્રવ્યેન્દ્રિયે કહી છે, તેજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિના રૂપમાં, પંચેન્દ્રિય તિર્યંચાના રૂપમાં મનુષ્યના રૂપમાં વાનચન્તરમાં તિષ્ક, વૈમાનિકે તથા નવચેયક દેવેના રૂપમાં અતીત, બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયો કહેવી જોઈએ. વિશેષ એ છે કે સ્વથાનમાં અતીત દ્રવ્યેન્દ્રિયો કદાચિત સંખ્યાત છે કદાચિત અસંખ્યાત છે. ભાવી ઢબેન્દ્રિયો અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! મનુષ્યની વિજ્ય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! સંખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! બદ્ધ દ્રવ્યક્તિ નથી રહેતી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ભાવી દ્રન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! સંખ્યાત હોય છે, કદાચિત અસંખ્યાત હોય છે. વિજ્યાદિ દેવપણાના સમાન સર્વાર્થસિદ્ધ દેવપણે પણ મનુષ્યની અતીત કન્ટેન્દ્રિ અસંખ્યાત હોય છે, એજ પ્રકારે યાવત્ રાયકની સમજવી અર્થાત વાનચન્તરે, જ્યાતિષ્ક વૈમાનિક તથા નવ વેયક દેવની અતીત, બદ્ધ અને ભાવી કન્દ્રિયે પણ માણસના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૧
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy