SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે બદ્ધ શરીર કહેવાય છે, કિન્તુ જે શરીરને જીવોએ પૂર્વ ભવમાં ગ્રહણ કરીને ત્યાગી દિધાં છે તેઓ મુક્ત શરીર કહેલાં છે. અહિં બદ્ધ અને મુક્ત શરીરેના પરિમાણના દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી પ્રતિપાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! દારિક શરીર કેટલાં કહેલાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બે પ્રકારના કહેલાં છે. તે આ પ્રકારે–બદ્ધ અને મુક્ત, પ્રાકૃત વ્યાકરણ અનુસાર વસ્ત્ર અને મુઝા' શબ્દમાં સ્વાર્થથી રૂલ્સ પ્રત્યય થયેલ છે. એ બે પ્રકારના શરીરમાંથી બદ્ધ દારિક શરીર અસંખ્યાત છે. તેમની અસં ખ્યાત સંખ્યા સંખ્યાના પહેલા કાળની અપેક્ષાએ પ્રતિપાદન કરાય છે. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત ઉત્સપિણિ અને અસંખ્યાત અવસર્પિણમાં અપહત થાય છે. તાત્પર્ય એ છે કે ઉત્સપિણિ અને અવસર્પિણી કાલતા એક એક સમયમાં જે ઔદારિક શરીરના અપહરણ કરાય તે સમસ્ત ઔદારિક શરીરના અપહરણમાં અસંખ્યાત ઉત્સપિણિયે અને અવસર્પિણ વ્યતીત થઈ જાય. એ પ્રકારે કાળથી તેમનું પરિમાણ બતાવીને હવે ક્ષેત્રની અપેક્ષાએ તેજ પરિમાણ બતાવે છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લેક પ્રમાણ છે. અર્થાત અગર બદ્ધ ઔદ્યારિક શરીરના અપિંડ રૂપમાં સ્થાપિત કરવામાં આવે તે અસં. ખ્યાત લે તે શરીરેથી વ્યાપ્ત થઈ જાય. શંકા-જ્યારે બદ્ધ ઔદારિક શરીરના ધારક જીવ અનન્ત છે તે બદ્ધ દારિક શરીરના પરિમાણ અસંખ્યાત જ કેમ કહ્યા ? સમાધાન-જીવ બે પ્રકારના છે–પ્રત્યેક શરીર અને અનન્તકાયિક પ્રત્યેક શરીર જે જીવ છે, તે બધાના અલગ-અલગ ઔદારિક શરીર હોય છે, નહીં તે તેઓ પ્રત્યેક શરીર જ ન કહેવાય કિન્તુ અનન્તકાયિક જીવ જે હોય છે તેમના શરીર પૃથક પૃથક નથી હોતાં, પરંતુ અનન્તાનન્ત નું એક જ શરીર હોય છે એ કારણે દારિક શરીરી જીવ અનસ્તાનના હોવા છતાં પણ ઔદારિક શરીર અસંખ્યાત જ હોય છે. - હવે મુક્ત ઓદારિક શરીરના પરિણામ કહે છે-મુક્ત પ્રદારિક શરીર અનન્ત છે કાલ ક્ષેત્ર અને દ્રષ્યની અપેક્ષાએ તેમની અનન્તતાને સમજાવતા પહેલા તે કાળથી સમજાવે છે. કાળની અપેક્ષાથી મુક્ત ઔદારિક શરીરના અનન્ત ઉત્સપિણિયે અને અવસપિ. માં અપહરણ થાય છે. અર્થાત્ ઉત્સપિણિ અને અવસર્પિણી કાળના એક સમયમાં એક એક મુક્ત ઔદારિક શરીરના અપહરણ કરાય તે સમસ્ત શરીરેનું અપહરણ કરવામાં અનન્ત ઉત્સપિણિ અને અવસપિણિ સમાપ્ત થઈ જાય. તેને અર્થ એ થયે કે અનન્ત ઉત્સર્પિણ અને અવસર્પિણમાં જેટલે સમય થાય છે, તેટલી જ મુક્ત દારિક શરીરની સંખ્યા છે. કાળથી અનન્ત પ્રમાણનું પ્રતિપાદન કરીને હવે ક્ષેત્રથી કરે છે ક્ષેત્રની અપેક્ષાએ પ્રતર આદિથી અનન્તલેક પ્રમાણ મુક્ત ઔદારિક શરીર સમજવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૫૩
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy