________________
શ્રી ભગવાન-હે ગૌતમ ! અણુ અથોતુ થોડા પ્રદેશેવાળા દ્રવ્યને પણ ગ્રહણ કરે છે અને બાદર અર્થાત્ ઘણા પ્રદેશથી ઉપચિત દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. અહીં અણુને અર્થ અપ્રદેશી દ્રવ્ય ન સમજે જોઈએ. કિન્ત ભાષાના રૂપમાં પરિણત થવાને ગ્ય થોડા પ્રદેશોવાળા સ્કન્ધ સમજવા જોઈએ એજ પ્રકારે બાદરને અર્થ ઘણું પ્રદેશવાળા ભાષા એગ્ય સ્કન્ધ સમજવો જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ જે અણુ દ્રવ્યોને ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તેઓ શું ઊપર રહેલા હોય છે? શું અધે દેશમાં રહેલા હોય છે? અગર તિરછાદેશમાં રહેલા હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! ઊર્ધ્વ પ્રદેશથી પણ ગ્રહણ કરે છે, અધ:પ્રદેશથી પણ ગ્રહણ કરે છે અને તિર્યગૂ દિશાથી પણ ગ્રહણ કરે છે. તાત્પર્ય એ છે કે જીવના દ્વારા ગ્રહણ કરવા ગ્ય ભાષા દ્રવ્ય જેટલા આકાશ-ક્ષેત્રમાં અવસ્થિત હોય છે, તેટલા જ ક્ષેત્રને અહીં ઊર્વ અધ: અને તિય સમજે જોઈએ.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન જે ભાષા દ્રવ્યને જીવ ઊપર, નચે અને તિછથી ગ્રહણ કરે છે, તેમને શું આદિમાં અર્થાત્ પ્રથમ સમયમાં ગ્રહણ કરે છે, અગર મધ્યમાં એટલે કે બીજા વિગેરે સમયેમાં ગ્રહણ કરે છે? અથવા પર્યાવસાનમાં અર્થાત્ અન્તિમ સમયમાં ગ્રહણ કરે છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! આદિમાં પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને પર્યાવસાનમાં પણ ગ્રહણ કરે છે. તાત્પર્ય એ છે કે જે ભાષા દ્રવ્ય અન્તમુહૂર્ત પર્યન્ત ગ્રહણ કરવાને યોગ્ય છે, તેમના ગ્રહણને ઉત્કૃષ્ટ સમય અન્તર્મુહૂર્ત પ્રમાણ હોય છે, તે કાળના પ્રથમ સમયમાં પણ ગ્રહણ કરે છે, દ્વિતીય આદિ સમયમાં પણ ગ્રહણ કરે છે અને અતિમ સમયમાં પણ ગ્રહણ કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જે દ્રવ્યને આદિમાં પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને અન્તમાં પણ ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું સ્વવિષય-સ્વગોચર અર્થાત સ્કૃષ્ટ, અવગાઢ, અન્તરાવગાઢ રૂપ હોય છે અગર અવિષય અર્થાત્ સ્વના અગોચર અર્થાત સ્કૃષ્ટ, અવગાઢ, અનન્તરાવગાઢથી ભિન્ન હોય છે?
શ્રી ભગવન હે ગૌતમ ! સ્વવિષય અર્થાત્ પૃષ્ટ, અવગાઢ તેમજ અન્તરાવગાઢ દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, અવિષય અર્થાત્ અસ્કૃષ્ટ, અવગાઢ અગર પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ નથી કરતા
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! જે સ્વવિષય દ્રવ્યને જીવ ગ્રહણ કરે છે, તેઓને શું આનુપૂર્વીથી–અનુક્રમથી ગ્રહણ કરે છે, અથવા અનાનુપૂવીથી ગ્રહણ કરે છે? આનુપૂવનો અર્થ છે ગ્રહણની અપેક્ષાએ સમીપના અનુસાર અને અનાનુપૂર્વી તેનાથી વિપરીત,
શ્રી ભગવાન–હે ગૌતમ ! આનુપૂર્વીથી ગ્રહણ કરે છે-અનાનુપૂવથી ગ્રહણ નથી કરતા, અર્થાત્ ગ્રહણની અપેક્ષાએ આસન્નતાના અનુસાર ગ્રહણ કરે છે. આસન્નતાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ નથી કરતા.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૩૦