SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પંચેન્દ્રિય તિર્યંચને પણ થાય છે. અવધિજ્ઞાનિયેની અપેક્ષાએ આભિનિનોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે તથા આ બને પરસ્પરમાં તુલ્ય છે, કેમકે જે મનુષ્ય અને તિર્યંચાને અવધિજ્ઞાન નથી થતું. તેઓને પણ આભિનિધિક અને શ્રુતજ્ઞાન થઈ શકે છે બન્નેને બરાબર કહેવાનું કારણ આ છે કે એ બને જ્ઞાન સહચર છે. કહ્યું પણ છે જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, “જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે, મતિ કૃતજ્ઞાનિયેની અપેક્ષાએ કેવલજ્ઞાની અનન્તગણું છે, કેમકે સિદ્ધ જીવ અનન્ત છે અને તે બધા કેવલજ્ઞાની હોય છે. આ રીતે જ્ઞાનની અપેક્ષાએ જીવનું અ૫ બહુત્વ પ્રતિપાદન કરીને હવે અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) ની અપેક્ષાએ અલ્પ બહુત દેખાડે છે શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો હે ભગવન્ મતિઅજ્ઞાની શ્રુતજ્ઞાની અને વિલંગ જ્ઞાની જેમાં કેણ કેનાથી અ૯પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાને ઉત્તર આપે-હે ગૌતમ ! બધાથી ઓછા જીવ વિભંગજ્ઞાની છે, કેમકે મિથ્યાદષ્ટિ દે, નારકે તથા કઈ કઈ પંચેન્દ્રિય તિર્ય અને મનુષ્યને જ વિભાગજ્ઞાન થાય છે વિલંગાનીયેની અપેક્ષાએ મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની અનન્તગણી છે કેમકે વનસ્પતિ કાયિક અનન્ત જીને મતિ-અજ્ઞાન અને શ્રુતજ્ઞાન થાય છે. પરંતુ વિર્ભાગજ્ઞાન નથી થતું. પરન્તુ મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની પરસ્પરમાં બરાબર છે, કેમકે “જ્યાં મતિ અજ્ઞાન છે ત્યાં શ્રુત અજ્ઞાન થાય છે, અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિ અજ્ઞાન હોય છે, આ પ્રમાણે આગમનું વચન છે. એ રીતે અજ્ઞાની ઈવેના અલ્પ બહુત્વનું પ્રતિપાદન કરીને હવે જ્ઞાનિયે તથા અજ્ઞાનિયાનું સંમિલિત અલ્પ બહુત્વ નિરૂપણ કરાય છે – શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે –હે ભગવાન્ ! આ આભિનિબેધિકજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કેવલજ્ઞાની મયજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જમાં કોણ કોનાથી અપ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા જીવ મનઃ પર્યાવજ્ઞાની હોય છે, તેમની અપેક્ષાએ અવધિજ્ઞાની અસંખ્યાત ગુણિત છે અને તેમની અપેક્ષાએ પણ આમિનિબાધિકજ્ઞાની તથા શ્રુતજ્ઞાની વિશેષાવિક છે. પરંતુ આભિનિબંધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પરમાં તુલ્ય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૭૨
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy