SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ કાયિક પૃથ્વીકાચિકેના સમાન (ફંજિયા તેફંદ્રિય વર્જિવિયા) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય (તે રાષ) આ તેજસ્કાય વાયુકાયિકના સમાન વવને હિં તો માળવા) દેવોને છોડીને કહેવા જોઈએ ટીકાર્થ–હવે અસુરકુમાર આદિના ઉપપાતની વક્તવ્યતા પ્રારંભ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! અસુરકુમાર કેનાથી ઉત્પન્ન થાય છે? અર્થાત્ કયા કયા પર્યાયના જીવ મરીને અસુરકુમારના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! અસુરકુમાર નારકેથી ઉત્પન્ન નથી થતા, પરંતુ તિર્યનિક અને મનુષ્યથી ઉત્પન્ન થઈ શકે છે, દેથી ઉત્પન્ન નથી થતા. એ રીતે જેના જેનાથી નારકને ઉપપાત કહ્યો છે તેના તેનાથી અસુરકુમારોને પણ ઉપપાત કહેવા જોઈએ. વિશેષતા એ છે કે અસંખ્યાત વર્ષની આયુવાળા અકર્મભૂમિ જ અન્તર દ્વીપ જ મનુષ્ય અને તિર્યચેથી ઉત્પન્ન થાય છે. એના સિવાય શેવ કથન નારકના સમાનજ સમજવું જોઈએ. એ પ્રકારે સ્વનિતકુમારે સુધી કહેવું જોઈએ અર્થાત્ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર દેવોના સમ્બન્ધમાં પણ એજ પ્રકારે કહેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને ઉત્પાદ શેનાથી થાય છે? નારકેથી કે દેથી ? શ્રી ભગવાન હે ગૌતમ પૃથ્વીકાયિક નારકેથી ઉત્પન્ન નથી થતા, પણ તિથી, મનુષ્ય અને દેથી ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી – હે ભગવન જે તિયાથી ઉત્પન્ન થાય છે તો શું એકેન્દ્રિય તિર્યંચેથી ઉત્પન્ન થાય છે, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અથવા પંચેન્દ્રિય તિયાથી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન – ગૌતમ ! એકેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે, પંચેન્દ્રિય તિયાથી પણ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી ભગવન્! યદિ એકેન્દ્રિય તિર્યચેથી પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે તે શું પૃથ્વીકાચિકેથી ઉત્પન્ન થાય છે, યાવત્ અલ્કાયિક, તેજઃ કાયિક, વાયુકાયિક અથવા વનસ્પતિકાયિકેથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! પૃથિવીકાયિક પૃથ્વીકાયિકોથી પણ ઉત્પન્ન થાય છે યાવત્ વનસ્પતિકાયિકેથી પણ ઉત્પન્ન થાય છે અર્થાત પાંચે ઈન્દ્રિયેથી ઉત્પન્ન થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૩૭૫
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy