________________
શ્રી ભગવાન્ હેતુનું પ્રતિપાદન કરે છે-ગૌતમ! એક અષ્કાયિક બીજા અષ્કાયિકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે અને પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય છે. કિન્તુ અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત છે. એક અપ્લાયિક બીજા અષ્કાયિથી અસંખ્યાત ભાગહીન થાય છે અગર સંખ્યાત ભાગહીન થાય છે. સંખ્યાતગુણ અધિક થાય છે અથવા અસંખ્યાતગુણા અધિક થાય છે. સ્થિતિની અપેક્ષાએ એક અષ્કાયિક બીજા અષ્કાયિકથી ત્રિસ્થાન પતિત થાય છે, અર્થાત અસંખ્યાત ભાગહીન, સંખ્યાતભાગ હીન અગર સંખ્યાતગુણહીન થાય છે. અથવા અસંખ્યાતભાગ અધિક, સંખ્યામભાગ અધિક અગર સંખ્યાતગુણ અધિક હોય છે. કિન્તુ વર્ણ ગંધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે. અર્થાત્ અનન્ત ભાગહીન, અસંખ્યાતભાગ હીન, સંખ્યાત ભાગહીન સંખ્યાતગુણહીન. અસંખ્યાત ગુણહીન અથવા અનન્તગુણ હીન થાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! તેજસ્કાચિકેના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ! અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછે છે ભગવદ્ અનન્તપર્યાય હેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-ગૌતમ! એક તેજઠાયિક બીજાતેજસ્કાયિકથી દ્રવ્યની દષ્ટિએ સમાન છે અને પ્રદેશની દષ્ટિએ પણ સમાન છે કિન્તુ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, અર્થાત્ એક તેજસ્કાયિક બીજા તેજસ્કાયિકની અપેક્ષાએ અવગાહના અર્થાત્ શરીરની ઉંચાઈમાં અગર હીન બને છે તે અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણ હીન થાય છે અને જે અધિક થાય છે તે ચત સ્થાન પતિત અધિક થાય છે. સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે, અર્થાત્ અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન થાય છે, અગર અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક થાય છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અચક્ષુદર્શનના પર્યા યેની અપેક્ષાએ એક તેજરકાયિક બીજા તેજસ્કાયિકની અપેક્ષાએ સ્થાન પતિત બને છે. અર્થાત્ અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૦૭