SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આખરે છદ્મસ્થ હતા, એ કારણે તેએાને ઉપયોગ ન રહ્યો હોય અને તેટલા માટે પ્રશ્ન કર્યો હૈાય કહ્યુ પણ છે કેાઇ છદ્મસ્થને ઉપયોગ શુન્યતા ન હેાય એવું બનતું નથી. અર્થાત્ મસ્થ માત્ર ઉપયોગ ચૂકીજ જાય છે, કેમકે જ્ઞાના વરણીય કર્મીના સ્વભાવજ જ્ઞાનને ઢાંકવાના છે ॥ ૧॥ તેથીજ તેમને સંશય ઉત્પન્ન થઇ શકે છે અને ભગવાનના સમક્ષ પ્રશ્ન કરી શકે છે. તેમાં કોઇ અસંગતિ નથી. હવે તે આઠ પૃથ્વીચેાના નામ ગણાવે છે. જેમાં ખાદર પૃથ્વીકાયના પર્યાપ્ત જીવાના સ્થાન છે. તે આ રીતે છે (૧) રત્નપ્રભામાં (૨) શરાપ્રભામાં (૩) વાલુકાપ્રભામાં (૪) ૫કપ્રભામાં (૫) ધૂમપ્રભામાં (૬) તમઃપ્રભામાં (૭) તમસ્તમઃ પ્રભામાં અને (૮) ઇષત્પ્રાગભાર પૃથ્વીમાં. અધેલાકના અંદર પાતાલ કલશેામાં, ભવનપતિયાના રહેવાના ભવનેામાં ભવન પ્રાસાદમાં અર્થાત્ ભવનાની ભૂમિકાઓમાં, અહિં ભવન શબ્દથી કેવળ ભવનાનું જ ગ્રહણ સમજવું જોઇએ અને ભવન પ્રસ્તર, શબ્દથી તેના વચલા ભાગા (અન્તરાલેા) નુ પણ ગ્રહણ થઈ જાય છે. તથા નરકામાં પ્રકીર્ણાંક નરકા વાસામાં, નરકાવલિયામાં અર્થાત્ આવલી રૂપે રહેલ નરકાવાસામાં નરકના પ્રસ્તરામાં, અહીં પણ નરક અને નરકાવલિના ગ્રઠુથી કેવલ નરકાવાસાને જ સમજવા જોઇએ અને નરક પ્રસ્તર શબ્દથી તેઓના મધ્યવતી ભાગાને ગ્રહણ કરવા જોઇએ. ઉર્ધ્વ લાકના અંદર સૌધમ આદિ કલ્પામાં અર્થાત્ ખારે દેવ લેાકેામાં પ્રવે યક સમ્બન્ધી પ્રકીર્ણ વિમાનામાં, વિમાનાવલિયામાં અર્થાત્ આવલિ રૂપમાં રહેલ વિમાનામાં, વિમાનેાના પ્રસ્તટે અર્થાત્ ભૂમિકાએમાં અગર વિમાનાના મધ્યવતી સ્થાનેમાં યથાસંભવ ખાદર પૃથ્વીકાયિકના જીવાના સ્થાન સમજવાં જોઇએ. તિરછાલાકની અંદર ટકામાં અર્થાત્ જેને એક ભાગ કપાઇ ગએલ હાય એવા પર્વતામાં કૂટમાં અર્થાત્ પર્વતના શિખરમાં શ્લામાં અર્થાત્ શિખર વિનાના પમાં શિખરો અર્થાત્ શિખરવાળા પતામાં, પ્રાગ્મારામાં અર્થાત્ કંઇક નમેલા પર્વતામાં, કચ્છ વિગેરે વિજયામાં વિદ્યુત્પ્રભ આદિ વક્ષસ્કાર પતામાં, ભરત આદિ વર્ષોં-ક્ષેત્રેમાં, હિમવાન આદિ વધર પામ, વેલા અર્થાત્ સમુદ્ર વિગેરેના જળની રમણ ભૂમિયામાં જમૂદ્રીપ આદિની વેદિકાઓ માં વિજય આદિ દ્વારામાં, દ્વારાદિ સંબંધી તારણામાં ખાદર પૃથ્વીકાયિક પર્યાપ્તક વેાના સ્થાન કહેલા છે, ભગવાન મહાવીરે પણ કહ્યા છે તથા અન્ય તીથ કરે એ પણ કહ્યાં છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૮૮
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy