SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષીણકપાય વીતરાગ દર્શનાર્ય અને કેવલી ક્ષણકષાય વીતરાગ દર્શનાર્ય તાત્પર્ય એ છે કે જેમના કષાને સર્વથા ક્ષય થઈ જાય છે. તેઓ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કહેવાય છે. બારમા તેરમા અને ચૌદમાં ગુણસ્થાન વાળા ક્ષીણ કષાય હેય છે તેમાંથી બારમા ગુણ સ્થાનોવાળા જીવ છદ્મસ્થ હોય છે અને તેરમા કથા ચૌદમાં ગુણ સ્થાન વાળા કેવી થાય છે. આ રીતે ક્ષીણકષાયના છદ્મસ્થ અને કેવલીના ભેદે કરીને બે ભેદ થયા તેમાં જે બારમા ગુણસ્થાનવાળા છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ છે તેઓ બે પ્રકારના છે–સ્વયં બુદ્ધ અને બુદ્ધ બધિત આ બેના પણ બે રીતે બે બે ભેદ થાય છે. જેમકે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી અર્થાત્ જેમને બારમા ગુણસ્થાનમાં પહોંચ્યાને પહેલે જ સમય છે અને જેમને તેમાં પહોંચ્યાને બે ત્રણ ચાર વિગેરે સમય વીતી ગયા છે. અથવા ચરમ સમયવતી અને અચરમ સમયવતી અર્થાત્ જે બારમા ગુણસ્થાનના અન્તિમ સમયમાં વર્તમાન હોય તે ચરમ સમયવતી અને જેઓને અન્તિમ સમય નથી તેઓ અચરમસમયવતી છે. આ બે ભેદેને કારણે દર્શનના પણ ભેદ પડે છે અને દર્શન ભેદથી આર્યત્વમાં પણ ભેદ પડી જાય છે. આ પ્રકારે છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દશનાર્યના બે ભેદ પડયા સ્વયંબુદ્ધ અને બુ ધિત. સ્વયં બુદ્ધ બે પ્રકારના છે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી, અથવા તે ચરમ સમયવતી અને અચરમ સમયવતી. એજ રીતે બદ્ધબોધિતના પણ બન્ને રીતે બે ભેદ છે. આ છમ ક્ષીણકષાય વીતરાગ દશનાર્યની પ્રરૂપણ થઈ. - હવે પ્રશ્ન એ છે કે કેવલિ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે–તેમના બે ભેદ છે–સગિ કેવલિ ક્ષીણકષાય વિતરાગ દશનાય અને અગિ કેવલિ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય. જેઓ કેવળજ્ઞાન મેળવી ચૂક્યા છે પણ ગોથી યુક્ત છે એવા તેરમા ગુણસ્થાન વાળા અરિહન્ત સગી કેવલી કહેવાય છે. અને જે કેવલી અગદશા પામેલા છે એવા ચૌદમાં ગુણસ્થાનવાળા અગિ કેવલી કહેવાય છે. સગિ કેવલી ક્ષીણકષાય વીતરાગ દેશના કેટલા પ્રકારના છે? શ્રીભગવાને કહ્યું–બે પ્રકારના છે. જેમકે પ્રથમ સમયસેગિ કેવલીક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય સગિ કેવલિ ક્ષીણકપાય વીત રગ દર્શનાર્ય. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૬૮
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy