________________
તે ચાર પ્રકારે આ છે–ચર્મ પક્ષી, રેમપક્ષી, સમુદ્ગ પક્ષી અને વિતત પક્ષી, જેમની પાંખે ચામડાની હેય તે ચર્મ પક્ષી, જેની પાંખે રમમય હોય (વાળની) તેઓ રામપક્ષી, જેની પાંખો ઉડતી વખતે પણ સમુદ્ગ (પેટી) જેવી રહે તેઓ સમુદ્ગ પક્ષી, અને જેની પાંખે સદા એ ફેલાયેલી જ રહે સંકેચાય નહીં તેઓ વિતત પક્ષી કહેવાય છે.
હવે સર્વ પ્રથમ નિદિષ્ટ ચર્મપક્ષીઓની પ્રરૂપણ કરે છેપ્રશ્ન પૂછે કે ચર્મ પક્ષી કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્ય-ચમ પક્ષી અનેક પ્રકારના કહ્યાં છે. તેઓ આ રીતના છે–ચમગીદડ, જલૌક, અડિલ્ય, ભારંડ પક્ષી, ચકવાક સમુદ્રવાસ (સમદ્રને કાંગડા) કર્ણત્રિકશિ બીલાડીકા, તેમાંથી કેટલાક પ્રસિદ્ધ છે એને જેઓ પ્રસિદ્ધ નથી તેઓને લેક પાસેથી જાણી લેવા જોઈએ.
આ રીતના જે બીજાં પક્ષીઓ હોય તેઓ પણ ચર્મ પક્ષી જ સમજવા જોઈએ. આ ચમ પક્ષીઓની પ્રરૂપણ થઈ.
જેમ પક્ષી કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાને કહ્યું-અનેક જાતના હોય છે. જેમકેન્દ્રક, કંક, કુરલ, વાયસ, ચકવાક, હંસ (મધુર ભાષી હંસ) રાજહંસ, (જેના પગ અને ચાંચ લાલા રંગના હોય છે) પાદહંસ, આડ, સેડી. બગલે, બલાક, પારિપ્લવ, કૌંચ સારસ, મેસર, મસૂર, મયૂર, સપ્તહસ્ત, ગહર, પિડરિક કાક, કામ જુક, વજુ લક, તીતુર (તેતર) બતક, લાવક, કત, કપિલ, પારેવા, ચિટક, ચાલ, કુકડે, પોપટ, બહિંણ મદન, શલાકા, કેકિલ, સેહ, વરિલક વિગેરે આ રેમ પક્ષીઓના કથનનું વર્ણન થયું.
સમુગપક્ષી કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો-સમુદ્ગ પક્ષી એકજ જાતનું હોય છે તેમાં કેઇ પેટા ભેદ નથી. તેઓ દેખાતાં કેમ નથી ?
તેનો ઉત્તર એ છે કે તેઓ મનુષ્ય ક્ષેત્રમાં અર્થાત્ અઢાઈ દ્વીપમાં નથી હતાં. તેનાથી બહારના દ્વીપમાં અને સમુદ્રમાંજ થાય છે, આ સમુદ્ર પક્ષી એની પ્રરૂપણા થઈ.
હવે વિતતપક્ષીઓની પ્રરૂપણ કરવામાં આવે છે.-વિતતપક્ષી કેટલા પ્રકારના છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન્ શ્રી મહાવીરસ્વામી કહે છે કવિતતપક્ષી એક જ પ્રકારના હોય છે. તેઓમાં જાતિભેદ હૈ નથી. તેઓ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૪૧